Publish Date: Sun, 26 Jul 2020 (10:35 IST)
Updated Date: Sun, 26 Jul 2020 (10:37 IST)
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 48,661 નવા કેસ નોંધાયા છે અને 705 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 13,85,522 થઈ ગઈ છે. જેમાંથી 4,67,882 એ સક્રિય કેસ છે, 13,85,577 લોકોને સારવાર અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 32,063 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્ર પોલીસે જારી કરેલા કોરોના બુલેટિન અનુસાર, રાજ્યમાં કોરોના પોઝિટિવ પોલીસની કુલ સંખ્યા વધીને 8,483 થઈ ગઈ છે. જેમાંથી 1,919 સક્રિય કેસ છે, 6,471 લોકો ચેપ મુક્ત થયા છે અને 93 પોલીસકર્મીઓનાં મોત નીપજ્યાં છે.