Publish Date: Sat, 13 Jul 2019 (08:03 IST)
Updated Date: Sat, 13 Jul 2019 (10:40 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે. રજુ છે 13 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.તારીખ 13ના રોજ જન્મેલી વ્યક્તિનો મૂલાંક 4 હશે
તારીખ 13ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 4 રહેશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ જીદ્દી. કુશાગ્ર વૃદ્ધિવાળા સાહસી હોય છે. આવી વ્યક્તિને જીવનમાં અનેક પરિવર્તનોનો સામનો કરવો પડે છે. જેમ ઝડપી સ્પીડથી આવતી ગાડીને અચાનક બ્રેક લાગી જાય એવુ તેમનુ ભાગ્ય હશે. પણ એ પણ નિશ્ચિત છે કે આ અંકવાળા મોટાભાગના લોકો કુલદીપક હોય છે. તમારુ જીવન સંઘર્ષશીલ હોય છે. તેમની અંદર અભિમાન પણ હોય છે. આ લોકો દિલના કોમળ હોય છે. પરંતુ બહારથી કઠોર દેખાય છે. તેમના નેતૃત્વ ક્ષમતાના લોકો કાયલ હોય છે.
શુભ તારીખ : 4, 8, 13, 22, 26, 31,
શુભ અંક : 4, 8,18, 22, 45, 57,
શુભ વર્ષ : 2015, 2020, 2031, 2040, 2060
ઈષ્ટદેવ - શ્રી ગણેશ અને શ્રી હનુમાન
શુભ રંગ - ભૂરો-કાળો-વાદળી
કેવુ રહેશે વર્ષ - મૂલાંક 4નો સ્વામી રાહુ છે. બીજી બાજુ વર્ષનો મૂલાંક
5 છે. બંને વચ્ચે મિત્રતા છે. આ વર્ષ ગયા વર્ષના દુષ્પ્રભાવોને દૂર કરવામાં સક્ષમ છે. તમે સજાગ રહીને કાર્ય કરવુ પડશે. પારિવારિક બાબતોમાં સહયોગ દ્વારા સફળતા મળશે. માન-સન્માનમાં વધારો થશે. બીજી બાજુ મિત્ર વર્ગનો સહયોગ મળશે. નવીન વેપારની યોજના પ્રભાવી થતા સુધી ગુપ્ત જ રાખો. શત્રુ પક્ષ પર પ્રભાવપુર્ણ સફળતા મળશે. નોકરિયાત પ્રયાસ કરશો તો ઉન્નતિના ચાંસ પણ છે. વિવાહ બાબતે આશ્ચર્યજનક પરિણામો આવી શકે છે.
મૂલાંક 4ના પ્રભાવ વાળા વિશેષ વ્યક્તિ
- રિતુ શિવપુરી
- નમ્રતા શિરોડકર
- ઉર્મિલા માતોડકર
- જાવેદ જાફરી
webdunia
Publish Date: Sat, 13 Jul 2019 (08:03 IST)
Updated Date: Sat, 13 Jul 2019 (10:40 IST)