Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે શ્રાવણનો છેલ્લો સોમવાર કરી લો આ ઉપાય, બેરોજગારી હોય કે વેપારની સમસ્યા શિવજી અપવશે સફળતા

આજે શ્રાવણનો છેલ્લો સોમવાર કરી લો આ ઉપાય,  બેરોજગારી હોય કે  વેપારની સમસ્યા શિવજી અપવશે સફળતા
, સોમવાર, 26 ઑગસ્ટ 2019 (12:17 IST)
સોમવારે શિવ પૂજાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો કોઈ બેરોજગારી કે વેપારમાં ખોટ જેવી સમસ્યાથી પરેશાન છે તો સોમવારના દિવસે કોઈપણ શિવાલયમાં જઈને નાનકડો ઉપાય કરી લો. થોડાક જ દિવસમાં શિવજીની કૃપાથી બધી સમસ્યાઓ દૂર થશે અને દરેક કાર્યમાં સફળતા મળવા માંડશે. 


આવો જાણીએ આ ઉપાય  
 
શિવ મહાપુરાણ અને હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે  ભગવાન શિવને સૌથી વધુ ફક્ત જળ જ પ્રિય છે.  તેથી આ દિવસે શિવજીનો જળથી એક ઉપાય કરવો જોઈએ. આ માટે સોમવારના દિવસે સાચી શ્રદ્ધા અને સમર્પણ સાથે પોતાની ઈચ્છા પૂર્તિ માટે શિવ મંદિરમાં શિવલિંગને સારી રીતે શુદ્ધ જળથી ધોઈને સાફ કરી લો. 
 
હવે મહામૃત્યુંજય મંત્ર - ૐ ત્ર્યમ્બકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મૃક્ષીય મામતાત.. આ મંત્ર નો 108 વાર જાપ કરતા શિવલિંગનુ ગંગાજળ મિશ્રિત જળથી સતત ધાર કરતા અભિષેક કરો.  ધ્યાન રાખો કે આ પ્રયોગ કરતી વખતે તમને કોઈ રોકે ટોકે નહી અને તમે પણ કોઈની સાથે વાત ન કરશો અને કોઈ કંઈ પુછે તો જવાબ ન આપશો. ફક્ત તમારુ કામ કરતા રહો. 
 
જ્યારે જળાભિષેક પૂરો થઈ જાય તો ફરીથી ૐ નમ શિવાયનો 21 વાર જાપ કરતા ગાયના દૂધથી પણ અભિષેક કરો. અભિષેક પૂરો કર્યા પછી  એક ગરીબ કન્યા કે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો. 
 
જે સોમવારે તમે આ ઉપાય કરો તેના બીજા સોમવાર સુધી આ ઉપાય કરનારને શિવજીની કૃપાથી લાભ અને સફળતાના સંકેત મળવા જોવા મળશે.  આ ઉપાય એક સિદ્ધ તાંત્રિક ઉપાય માનવામાં આવે છે. જે ક્યારેય વ્યર્થ જતો નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા