Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેવડાત્રીજી 2019 - આ દિવસે વ્રત સાથે અજમાવો આ ખાસ ઉપાય, દાંમ્પત્ય જીવનમાં આવશે ખુશીઓ

કેવડાત્રીજી 2019 - આ દિવસે વ્રત સાથે અજમાવો આ ખાસ ઉપાય, દાંમ્પત્ય જીવનમાં આવશે ખુશીઓ
, ગુરુવાર, 29 ઑગસ્ટ 2019 (16:33 IST)
કેવડાત્રીજનુ વ્રત ભાદરવા મહિનાના શુક્લપક્ષની ત્રીજના રોજ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 1 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. . સ્ત્રીઓ આ વ્રત પતિની લાંબી આયુ માટે કરે છે. જ્યારે કે કુંવારી યુવતીઓ મનપસંદ વર મેળવવા માટે આ વ્રત કરે છે. . 
 
આ દિવસે કેટલીક સ્ત્રીઓ નિર્જલા વ્રત પણ કરે છે અને ભગવાન શિવ માતા પાર્વતીની રેતી કે માટીની મૂર્તિ બનાવીને પૂજન કરે છે.  
 
તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્રત કરવાથી એક બાજુ તો પતિની લાંબી આયુ પ્રાપ્ત થઈ શકે છે તો બીજી બાજુ આ દિવસે કેટલાક ખાસ ઉપય કરીને તમે દાંમ્પત્ય જીવનમાં ખુશીઓ પણ લાવી શકો છો. 
 
તો આવો અહી જાણીએ શુ છે ખાસ ઉપાય.. 
 
- કેવડાત્રીજમાં માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજા પછી તમે જાતે ખીર બનાવો અને મા પાર્વતીને ભોગ લગાવો. ત્યારબાદ પ્રસાદના રૂપમા તે ખીર પતિને ખવડાવો. બીજા દિવસે ઉપવાસ ખોલ્યા પછી એ ખીર તમે પણ ખાવ. તમારુ દાંમ્પત્ય જીવન મહેંકી ઉઠશે 
 
-  કેવડાત્રીજની પૂજા પછી હંમેશા તમારી શક્તિ મુજબ 11 સુહાગન સ્ત્રીઓને સુહાગનો સામાન ભેટ કરો. તેમા પૂરા 16 શ્રૃંગાર હોવા જોઈએ  આવુ કરવાથી પતિ પત્ની વચ્ધે પ્રેમ કાયમ રહેશે 
 
- કેવડાત્રીજાના દિવસે તમારી આર્થિક પરિસ્થિતિ મુજબ  5 વડીલ સુહાગન સ્ત્રીઓને સાડી અને પગની વીંછી આપો અને પતિ પત્ની સાથે મળીને તેમને પગે પડો.  એવુ કહેવાય છે કે વાર તહેવારના દિવસે વડીલોના આશીર્વાદ લેવાથી તે ચોક્કસ ફળે છે. 
 
- કેવડાત્રીજના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને પછી શિવ પાર્વતીના મંદિરમાં જાવ. મંદિરમાં શિવ પાર્વતીને લાલ ગુલાબ ચઢાવો 
 
- મંદિરમાં જ ભગવાન શિવ અને નંદીને મધ ચઢાવો 
 
- કેવડાત્રીજામાં જ્યારે પૂજા કરો ત્યારે માતા પાર્વતીને ચુંદરી ચઢાવો અને તમારા હાથ વડે નથ પહેરાવો 
 
- કેવડાત્રીજના દિવસે શુભ મુહુર્તમાં  પતિએ પોતાની પત્નીના સેંથામાં સિંદૂર લગાવવુ જોઈએ . ત્યારબાદ પગની વીંછીઓ અને ઝાંઝર પણ પહેરાવો.  એવુ કહેવાય છે કે આવુ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. 
 
- કેવડાત્રીજ પર ગણેશ મંદિરમાં માલપુડા અર્પિત કરવાથી પણ દાંમ્પત્ય જીવનમાં મધુરતા આવે છે 
 
- કેવડાત્રીજ પર પત્ની પોતાના હાથ વડે પાનનો બીડો લગાવીને શિવજીને ચઢાવે અને પછી એ બીડો પતિને આપે. તેનાથી પણ પરસ્પર પ્રેમ વધે છે. 
 
- ગોળના 11 લાડુ માં પાર્વતીને ચઢાવો અને બીજા દિવસે શ્રી ગણેશ ચતુર્થી પર ગણેશ સ્થાપના પછી એ પ્રસાદ ખાવ  આ ઉપરાંત જો કોઈ યુવતીના લગ્ન વારે ઘડીએ તૂટી જતા હોય તો  ખાસ ઉપાય કરીને મનપસંદ વર મેળવી શકે છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાશિ અનુસાર આ રંગના ગણપતિની કરો સ્થાપના, ઘરમાં આવશે ખુશીઓ