Publish Date: Fri, 23 Sep 2022 (15:47 IST)
Updated Date: Fri, 23 Sep 2022 (15:49 IST)
Karwa Chauth for Unmarried Woman: કરવા ચોથ વ્રત દર વર્ષે કાર્તિક મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીને રખાય છે. આ સમયે કરવા ચોથ 13 ઓક્ટોબરે પડી રહ્યો છે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. પરિણીત મહિલાઓની સાથે ઘણા કુંવારી છોકરીઓ પણ વ્રત કરે છે. પક્ણ તેના માટે જુદા નિયમ હોય છે.
કુંવારી છોકરીઓને ચંદ્રમાની જગ્યા તારા જોઈને વ્રતનો પારણ કરવો જોઈએ. આ દરમિયાન કરવાની જગ્યા પાણી ભરેલા કળશનો ઉપયોગ કરી શકો છો. કરવાનો ઉપયોગ પરિણીત કરે છે.
કરવા ચોથ વ્રતના દિવસે સુહાગન મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે અને પતિની રક્ષા અને સૌભાગ્યની કામના કરે છે પણ આ વ્રત પરિણીત મહિલાઓ માટે ગણાય છે પણ જેમના લગ્ન નક્કી થઈ ગયા છે, એવી છોકરીઓ પણ આ વ્રત કરી શકે છે.
કરવા ચોથ વ્રતના દિવસે સુહાગન મહિલાઓ પૂજાના દરમિયાન ચાલણીનો ઉપયોગ કરે છે. તેથી કુંવારી છોકરીઓ ચાલણીનો ઉપયોગ ન કરવું.
કરવા ચોથના દિવસે કુંવારી છોકરીઓ શંકર પાર્વતીની પૂજા કરવી જોઈએ અને વ્રતની કથા સાંભળવી જોઈએ, કારણ કે સુહાગન મહિલાઓ પતિના હાથથી પાણી પીવીને પારણ કરે છે તેથી કુંવારી છોકરીઓએ નિર્જલા વ્રત નહી કરવો જોઈએ.