Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Guruwar Astro Tips: ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખાસ પણ ભૂલથી પણ કરો આ કામ

Guruwar Astro Tips: ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખાસ પણ ભૂલથી પણ કરો આ કામ
, ગુરુવાર, 10 નવેમ્બર 2022 (09:26 IST)
What Not To Do On Thursday: દેવગુરૂ બૃહસ્પતિ અને ગુરુ વિશ્વના પલહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે અને સાચા હૃદય અને સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરાય, તો ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ દુ:ખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત પણ રાખવામાં આવે છે.
 
જ્યોતિષ શાસ્ત્રના મુજબ ગુરૂવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિ ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. તેમના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી હોય. જો તમે પણ ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો, તો આ દિવસે કેટલીક વાતોંની કાળજી રાખવી. આ દિવસે આ કાર્યને કરવાથી ભગવાન વિષ્ણુ ગુસ્સે થઈ જાય છે અને વ્યક્તિને તેમના ગુસ્સાનો સામનો કરવો પડે છે. 
 
ગુરુવારે ભૂલીને પણ આ કામ ન કરો
જ્યોતિષમાં આવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને પાલન કરવાથી ગુરુવારે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે ઘરની સફાઈ દરમિયાન ઘરમાંથી ભંગાર ન કાઢવો જોઈએ.
 
- એવું કહેવાય છે કે ગુરુવારે ઘરને ધોવું અને લૂછવું જોઈએ નહીં. આ દિવસે વાળ અને કપડા વગેરે ધોવાની પણ મનાઈ છે.
 
- એટલું જ નહીં આ દિવસે કોઈ પણ વસ્તુનું દાન ન કરવું જોઈએ.જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારે પીળા રંગની વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે ગોળ, ચણા, ચણાની દાળ વગેરે વસ્તુઓનું દાન કરી શકાય છે.
 
- આ દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
 
- ગુરુવારે કેળાના ઝાડનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેળાના ઝાડને જળ અર્પણ કરવામાં આવે છે. તેથી આ દિવસે કેળા ખાવાને વર્જિત માનવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bhojan Rules: શું તમે પણ આ રીતે તો ભોજન નથી કરતા? આજે જાણો ભોજન સાથે જોડાયેલા આ 5 નિયમો, નહીં તો થઈ જશો ગરીબ