Publish Date: Sat, 22 Nov 2025 (18:22 IST)
Updated Date: Sat, 22 Nov 2025 (18:53 IST)
What is Auspicious to Buy on Which Day: સનાતન પરંપરામાં દરેક કાર્યને શુભ મુહૂર્ત અને શુભ દિવસ જોઈને કરવાની પ્રથા છે. એવુ માનવામાં આવે છે કે યોગ્ય દિવસે કરવામાં આવેલ કાર્ય સફળ થવા ઉપરાંત અનેક ગણો લાભ પણ આપે છે. ખરીદી પણ તેમાથી એક છે. જ્યોતિષ મુજબ અઠવાડિયામાં જુદા જુદા દિવસે જુદી જુદી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. બીજી બાજુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ખાસ દિવસે ન ખરીદવી જોઈએ. ચાલો જાણીએ કે અઠવાડિયાના કયા દિવસે શુ ખરીદવુ જોઈએ અને શુ ખરીદવાથી બચવુ જોઈએ.
સોમવાર - સફેદ વસ્તુઓ ખરીદવાનો શુભ દિવસ
સોમવાર ભગવાન શિવ અને ચંદ્ર દેવને સમર્પિત છે. આ દિવસે સફેદ રંગ સાથે જોડાયેલ વસ્તુઓ ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે. જેવી કે ચોખા ચાંદી, દૂધ, સફેદ મીઠાઈ વગેરે. માન્યતા છે કે તેનાથી ચંદ્રમાં બળવાંથાય છે અને ઘર અને માનસિક સુખ વધે છે. જો કે આ દિવસે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવાથી બચવુ જોઈએ.
મંગળવાર - જમીન-મકાનની ખરીદીનો શ્રેષ્ઠ દિવસ
મંગળવારે હનુમાનજી અને મંગળ દેવતાનો દિવસ છે. જે જમીન અને સંપત્તિના કારક માનવામાં આવે છે. આ દિવસે જમીન, ફ્લેટ કે મકાન ખરીદવુ શુભ હોય ચે એવુ માનવામાં આવે છે કે મંગળવારે કર્જ ચુકવવાથી કર્જ જલ્દી સમાપ્ત્ત થાય છે. પણ લાકડી ચામડુ અને દૂધથી બનેલી વસ્તુઓ આ દિવસે ખરીદવી શુભ નથી.
બુધવાર - સ્ટેશનરી અને લીલી વસ્તુઓ ખરીદો
બુધવારને બુધ ગ્રહ અને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે સ્ટેશનરી, પેન, નોટબુક, પુસ્તકો, રમતગમતના સાધનો, સુશોભનની વસ્તુઓ અને લીલા શાકભાજી ખરીદવાથી શુભ પરિણામો મળે છે. જોકે, દવાઓ, ચોખા, કેરોસીન અને વાસણો ખરીદવાનું ટાળો.
ગુરુવાર: ઇલેક્ટ્રોનિક્સ અને મિલકત ખરીદવા માટે શુભ દિવસ
ગુરુવાર ગુરુ અને ભગવાન વિષ્ણુનો દિવસ છે. જો તમે મિલકત, જમીન અથવા ફ્લેટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ દિવસને શુભ સમય માનવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ ખરીદવું પણ ફાયદાકારક છે. જો કે, ગુરુવારે ચશ્મા અને તીક્ષ્ણ વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
શુક્રવાર: સજાવટ અને સુંદરતાની વસ્તુઓ
શુક્રવાર શુક્રનો દિવસ છે, જે સુંદરતા, સંપત્તિ અને ભૌતિક સુખ-સુવિધાઓ માટે જવાબદાર દેવતા છે. તેથી, આ દિવસે કપડાં, મેકઅપ, સૌંદર્ય પ્રસાધનો અને ઘરેણાં જેવી વસ્તુઓ ખરીદવાથી શુભ પરિણામો મળે છે. જો કે, આ દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ સંબંધિત વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં.
શનિવાર: ઘરગથ્થુ વસ્તુઓ અને અનાજ ખરીદવા માટે શુભ દિવસ
શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. આ દિવસે સાવરણી, અનાજ, ઘી, મસાલા અને ઘરગથ્થુ વસ્તુઓ ખરીદવાને શુભ માનવામાં આવે છે. જોકે, તેલ, મીઠું, લોખંડ અને ચામડાની વસ્તુઓ ખરીદવાનું ટાળો.
રવિવાર: વાહનો અને ફર્નિચર ખરીદો, પણ લોખંડની વસ્તુઓ નહીં.
રવિવાર સૂર્ય દેવનો દિવસ છે. આ દિવસે લાલ વસ્તુઓ, ઘઉં, વાહનો અને ફર્નિચર ખરીદવું શુભ માનવામાં આવે છે. આનાથી તમારું સૌભાગ્ય વધે છે. જોકે, લોખંડ અને તેમાંથી બનેલી વસ્તુઓ ખરીદવાનું વર્જિત માનવામાં આવે છે.
webdunia
Publish Date: Sat, 22 Nov 2025 (18:22 IST)
Updated Date: Sat, 22 Nov 2025 (18:53 IST)