Publish Date: Sat, 28 Mar 2020 (14:42 IST)
Updated Date: Sat, 28 Mar 2020 (14:43 IST)
કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે દેશમાં 21 દિવસનો લૉકડાઉન જાહેર કર્યુ છે. આ કારણે લોકો તેમના ઘરોમાં બેસ્યા બેસ્યા બોર થઈ રહ્યા છે.
આ જ કારણ છે કે લોકોએ રામાનંદ સાગરની રામાયણને ફરીથી ટેલીકાસ્ટ કરવાની માંગણી કરી છે. લોકોની આ માંગને સ્વીકાર કરી લીધું છે અને 28 માર્ચથી રામાયણનો પ્રસારણ ફરીથી દૂરદર્શન પર થઈ રહ્યા છે.
આ ખબરથી શોના ફેંસથી લઈને એકટર્સ બધા ખુશ છે. રામાયણનો એક એક પાત્ર લોકોના મગજમાં છે. રામની ભૂમિકા ભજનાર અરૂણ ગોવિલ લક્ષ્મણની ભૂમિકા વાળા સુનીલ લહેરી અને સીતાની ભૂમિકા કરનારી ચિખલિયાને ફેંસ આજે પણ યાદ કરે છે.
રામાયણના કળાકારની પાસે પણ આ શોથી સંકળાયેલી ખૂબ કહાનીઓ છે. લક્ષ્મણની ભૂમિકા ભજનાર સુનીલ લહેરીએ જણાવ્યુ કે એક વાર તેમનો બેગ ચોરી થઈ ગયુ હતુ. તે સમયે હનુમાનની ભૂમિકા દારા સિંહ તેમના ઘણા કામ આવ્યા હતા.
સુનીલ લહેરીએ જણાવ્યુ કે અમે કેન્યામાં શૂટ કરી રહ્યા હતા. તે સમયે દારા સિંહ બે સૂટકેસ લઈને જઈ રહ્યા હતા. ત્યારે કોઈએ મારું સૂટકેસ ખેંચ્યુ અને લઈને ભાગવા લાગ્યા. મારું બેગ છિનવા હું જોર-જોરથી બૂમ પાડી. ત્યારે દારા સિંહ તે ચોરની પાછળ ભાગ્યા અને તેને તે ચોરને એક હાથીથી પકડીને ઉઠાવી લીધું અને જમીન પર પટકી દીધું.
જણાવીએ કે આ સીરિયલના કળાકાર આજે પણ લોકોના મગજમાં છે.