Publish Date: Fri, 25 Oct 2019 (17:32 IST)
Updated Date: Fri, 25 Oct 2019 (17:34 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગુજરાતના 13માં મુખ્યમંત્રી હતા અને 128 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યાં હતા. 1990માં તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ હતા, એ જ સમયે તેઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. 1995માં વિધાનસભાની ચૂંટણી ભાજપ તરફથી લડ્યા હતા અને જીત્યા હતા.