Publish Date: Tue, 21 Jun 2022 (18:37 IST)
Updated Date: Tue, 21 Jun 2022 (18:41 IST)
Rashmirekha Ojha Suicide- લોકપ્રિય ઉડિયા ટેલિવિઝન અભિનેત્રી રશ્મિરેખા ઓઝાનું અવસાન થયું છે. તેનો મૃતદેહ ભુવનેશ્વરમાં તેના ભાડાના મકાનમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
રશ્મિરેખા ઓઝા જેની ઉમ્ર 23 વર્ષ છે તેણીએ 18 જૂનના દિવસે પંખાથી લટકીને આત્મહત્યા કરતા ફેંસને મોટો ઝટકો લાગ્યો છે. 23 વર્ષીય પોપ્યુલર ટીવી એક્ટ્રેસ રશ્મિરેખા ઓઝાનો મૃતદેહ ઓડિશાના ભુવનેશ્વરના નયાપાલી વિસ્તારમાંથી મળી આવ્યો.
23 વર્ષીય એક્ટ્રેસનું 18 જૂનના રોજ મૃત્યુ થયું હતું. પિતાએ કહ્યું... શનિવાર, 18 જૂનના રોજ અનેક ફોન કૉલ કર્યા હતા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો.
દોઢ માસથી રશ્મિરેખા ઓજિશાના જગતસિંહપુરના જિલ્લાના તિરતોલ વિસ્તારમાં રહેતી હતી. સંતોષ પાત્રા સાથે ભાડાના ઘરમાંથી રહેતી હતી. જોકે છેલ્લા થોડા દિવસથી બંને અલગ રહેતાં હતાં.