Publish Date: Tue, 20 Feb 2024 (16:25 IST)
Updated Date: Tue, 20 Feb 2024 (16:29 IST)
-મરાઠા આરક્ષણ બિલ મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ
-10 ટકા અનામતની દરખાસ્ત
-સીએમ શિંદે આ વિધાંસભામા રજૂ કર્યો બિલ
Maratha Reservation Bill: મરાઠા આરક્ષણ બિલ મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ થઈ ગયો છે. મરાઠા સમાજને શિક્ષા અને નોકરીમા 10 ટકા આરક્ષણ આપવા માટે આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. બિલ પર ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે કોઈની પણ અનામત સાથે છેડછાડ કર્યા વિના, તે મરાઠા સમુદાયને આપવામાં આવશે.
શૈક્ષણિક અને નોકરીમાં અનામત આપવાનો નિર્ણય લેવાયો છે.
સીએમ શિંદે આ વિધાંસભામા રજૂ કર્યો બિલ
મહારાષ્ટ્ર સરકારએ શિક્ષા અને નોકરીઓમાં મરાઠા સમુદાય માટે 10 ટકા અનામતની દરખાસ્ત કરી. આ સંદર્ભમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું હતું.
જણાવીએ કે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણના મુદ્દે માંગ ખૂબ સમયથી જોર પકડી રહી હતી. આ મુદ્દે રાજ્યમા પ્રદર્શન પણ થયો હતો. મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટિલને આગેવાનીમા મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય ના લોકોએ આંદોલન કર્યો હતો.