Publish Date: Thu, 09 May 2024 (11:53 IST)
Updated Date: Thu, 09 May 2024 (12:09 IST)
Chardham yatra- યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ ખુલશે. બુધવાર સુધીમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ ખુલશે. બુધવાર સુધીમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી તરફ મંદિર સમિતિએ યાત્રા દરમિયાન મોબાઈલ પર રીલ ન લગાવવા અપીલ કરી છે.
દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવ્યો છે. ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડવાના અહેવાલ છે. અલ્મોડા-સોમેશ્વર વિસ્તારમાં વાદળ ફાટવાના સમાચાર છે. અલ્મોડા-કૌસાની હાઈવે પર કાટમાળ આવી ગયો છે, જેના કારણે છેલ્લા 12 કલાકથી હાઈવે બંધ છે.
જો કે વરસાદના કારણે જંગલમાં લાગેલી આગ પર મહદઅંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ બદલાતા હવામાનને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.