Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

લગ્નમાંથી પરત ફરી રહેલી કારને અકસ્માત, 4ના મોત, 5 ઘાયલ; બિહારમાં મોટી દુર્ઘટના

Bihar accident news
, રવિવાર, 23 માર્ચ 2025 (09:17 IST)
બિહારના બેગુસરાયથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. લગ્નમાંથી પરત ફરી રહેલી સ્કોર્પિયો અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના આજે એટલે કે રવિવારે વહેલી સવારે 3.50 કલાકે બની હતી. અકસ્માતનું કારણ ડ્રાઈવરની બેદરકારી હોવાનું કહેવાય છે.
 
કેવી રીતે થયો અકસ્માત?
જો અહેવાલોનું માનીએ તો લગ્નના તમામ મહેમાનો કારમાં હતા. બધા કોઈ સંબંધીના લગ્નમાં ગયા હતા અને મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા. કાર ખૂબ જ સ્પીડમાં હતી, જ્યારે ડ્રાઈવર ઊંઘી ગયો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓડિશામાં વરસાદ સાથે કરા પડવાથી આવી તબાહી, 2 લોકોના મોત, 67 ઘાયલ, 600 ઘરોને નુકસાન