Publish Date: Tue, 02 Nov 2021 (11:32 IST)
Updated Date: Tue, 02 Nov 2021 (11:34 IST)
મહારાષ્ટ્રના પુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ગઈકાલે લાંબી પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. લાંબા સમયથી દેશમુખ મની લોન્ડ્રીંગ કેસમાં એન્ફોર્સમેન્ટ વિભાગના સમન્સ છતા હાજર થતા ન હતા અને ગઈકાલે આખરી સમન્સમાં હાજર થયા બાદ લગભગ આઠ કલાક સુધી તેમની પુછપરછ બાદ રાત્રીના ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેમને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ પર લેવામાં આવે તેવી શકયતા છે.