Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમિલનાડુમાં મોટી દુર્ઘટના, 59 લોકો સાથે બસ ખીણમાં ખાબકી, અનેકના મોત

તમિલનાડુમાં મોટી દુર્ઘટના, 59 લોકો સાથે બસ ખીણમાં ખાબકી, અનેકના મોત
, રવિવાર, 1 ઑક્ટોબર 2023 (10:40 IST)
તમિલનાડુના કુન્નુરમાં મરાપલમ પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડી જતાં 35 લોકો ઘાયલ થયા હતા અને 8ના મોત થયા હતા. આ બસ ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહી હતી. બસમાં 55 મુસાફરો સવાર હતા. ઘાયલોને સારવાર માટે કુન્નુરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
 
 તમિલનાડુના પહાડી જિલ્લા નીલગિરીમાં શનિવારે એક પ્રવાસી બસ ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 8 પ્રવાસીઓના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મૃતકોમાં ચાર મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. 
 
સીએમ સ્ટાલિને મૃતકોના પરિવારજનોને 8 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ દરેકને 1 લાખ રૂપિયા અને નાના ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10 દિવસમાં ગરબા રમતાં 3 યુવાનોના મોત કેમ થયાં