Publish Date: Tue, 25 Nov 2025 (12:50 IST)
Updated Date: Tue, 25 Nov 2025 (12:59 IST)
ઉત્તર પ્રદેશના અયોધ્યાના મેદાનમાં ફરી એકવાર એક દિવ્ય ઉજવણી થવા જઈ રહી છે. લાખો ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક, દિવ્ય રામ મંદિર તૈયાર છે. હવે મંદિરની ટોચ પર પવિત્ર ધ્વજ ફરકાવવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવશે. ગુજરાતના અમદાવાદના લોકો આ ક્ષણ માટે ઉત્સાહિત છે, કારણ કે અમદાવાદના કારીગરોએ મંદિરની ટોચ પર ફરકાવવા માટે પવિત્ર ધ્વજ બનાવ્યો છે.
રામ મંદિરના શિખર પર લહેરાવેલો ધર્મ ધ્વજ 22 ફીટ લાંબો, 11 ફીટ પહોળો છે અને વજન 2.5 કિલોગ્રામનો છે. રામ મંદિરના શિખર પર લહેરાવેલો આ ધ્વજને ધર્મ ધ્વજ નામ આપવામાં આવ્યુ છે. સૂર્યની છબિ હોવાને કારણે સૂર્ય ધ્વજ પણ કહેવાય છે. આ ધ્વજ નાયલૉન-રેશમ મિશ્રિત પૉલીમર કપડાથી બનેલો છે. આ વજનમાં હલકો પણ મજબૂત અને ટકાઉ છે. પહેલા જે ધ્વજ બનાવીને મોકલવામાં આવ્યો હતો તેનુ વજન 11 કિલો હતુ.
શુ છે આ ધર્મ ધ્વજની વિશેષતા ?
ધર્મ ધ્વજની ભીષણ ગરમી, સખત વાવાઝોડુ કે વરસાદ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલનારી હવાઓનો સામનો કરવામાં પણ સક્ષમ છે. દરેક ત્રણ વર્ષે મંદિરમાં નવો ધ્વજ લહેરાવવામાં આવશે. વાલ્મિકી રામાયણ પર આધારિત આ ધ્વજમાં રામ રાજ્યના પ્રતિક કોવિદાર વૃક્ષ અને સૂર્ય વંશ ના પ્રતિક સૂર્ય વંશને દર્શાવ્યો છે. સદ્દભાવના પ્રતિક ઔકારને પણ દર્શાવ્યો છે. ધ્વજ પર દર્શાવેલ દરેક પ્રતીકનુ ધાર્મિક અબ્ને વૈદિક મહત્વ છે. ધ્વજનો કેસરઇયો રંગ ધર્મ, ત્યાગ અને પવિત્રતા અને આધ્યાત્મિકત શક્તિનુ પ્રતિક છે. ધ્વજની મધ્યમાં આવેલું વર્તુળ ન્યાય અને ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય વંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય વર્તુળની સાથે દર્શાવવામાં આવ્યો છે, જ્યારે વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ પવિત્ર કોવિદર વૃક્ષનું પ્રતીક પણ શણગારેલું છે.
ગુજરાતમાં બનેલા રામ મંદિર માટેની વસ્તુઓ
ધ્વજમાં સર્વવ્યાપી ભગવાન ઓમકારનું પ્રતીક પણ છે. આ બધા પ્રતીકો શ્રી રામના જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ઐતિહાસિક રામ મંદિર માટેની ઘણી વસ્તુઓ ગુજરાતમાં બનાવવામાં આવી હતી. સૌથી મોટો ઢોલ અમદાવાદના ડબગર સમુદાય દ્વારા બનાવવામાં આવ્યો હતો. મુખ્ય મંદિર અને આસપાસના છ મંદિરો માટેના ધ્વજસ્તંભો પણ બનાવવામાં આવ્યા હતા. મંદિર પર મૂકવામાં આવેલી બંગડીઓ પણ અમદાવાદના કારીગરો દ્વારા બનાવવામાં આવી હતી. વધુમાં, મંદિરની દાનપેટી પણ અમદાવાદમાં બનાવવામાં આવી હતી. દેવતાના ઘરેણાં સંગ્રહવા માટે પિત્તળનું કબાટ અને મંદિરના દરવાજા માટે હાર્ડવેર પણ અમદાવાદમાં બનાવવામાં આવ્યું હતું.