Publish Date: Fri, 27 Apr 2018 (08:36 IST)
Updated Date: Tue, 24 Apr 2018 (12:41 IST)
ઘણા લોકોને ઓશીંકા વગર ઉંઘ નહી આવતી આમ તો આ ટેવ ખરાબ નહી પણ ઓશીંકાની સફાઈ રાખવી બહુ જરૂરી છે. ગંદું ઓશીંકા ઘણા રોગોનો કારણ બને છે. તેથી સૂતા સમયે હમેશા સૉફ્ટ અને સાફ સુથરા ઓશીંકાનો ઉપયોગ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર તેના કવરને જરૂર બદલવું. આમતો શરીરના બેક્ટીરિયા ઓશીંકા પર લાગી જાય છે. જે શ્વાસ પ્રક્રિયા દ્વારા શરીરની અંદર ચાલી જાય છે. આજે અમે તમને તેનાથી થતી મુશ્કેલીઓ અને તેનાથી બચવા માટેના વિશે જાણકારી આપીશ. જેનાથી તમે હમેશા માટે આરોગ્યકારી રહેશો.
1. ગંદા અને અસ્વસ્થ ઓશીંકાથી થતાં રોગો
- જૂના ઓશીંકાની અંદર ખૂબ વધારે ધૂળ માટીના કણ ચોંટાય છે, જે કે શ્વાસ લેવાથી ફેફંસામાં જાય છે, જેનાથી અસ્થમા જેવા રોગ થવાની શકયતા વધી જાય છે.
- જ્યારે ઓશીકું જાડા અને પાતળું હોય છે, ત્યારે ગરદન નીચે નમે છે. જેનાથી નસકોરાંના રોગ થઈ શકે છે. તેથી હંમેશા સામાન્ય સાઈજના ઓશીંકાનો ઉપયોગ કરો.
- ગંદા ઓશીકાના કવર પર હાજર બેક્ટેરિયા ખીલના કારણ બને છે. તેથી એ સમયે તેના કવરને ચેંજ કરવું.
- ઊંચા ઓશીકાનો ઉપયોગ કરવાથી શરીરનું રુધિર પરિભ્રમણ બગડી જાય છે, જેના કારણે પેટની સમસ્યાઓ વધે છે.
- જૂના ઓશીંકાનો ઉપયોગ ગરદનમાં પીડા પેદા કરી શકે છે.