Publish Date: Mon, 23 Jul 2018 (11:29 IST)
Updated Date: Mon, 23 Jul 2018 (11:42 IST)
આયુર્વેદમાં ખાન-પાનને લઈને બહુ એવી ટેવ જણાવી છે જેને માનવાથી ક્યારે બીમાર નહી પડતા અને હમેશા સ્વસ્થ તંદુરૂસ્ત લાઈફ જીવે છે. આવો જાણે એવા જ નિયમો વિશે.
આજકાલ ભોજન પછી તરત જ ફ્રીજનું પાણી પીવાની ચલન છે. ભારે ભોજ કર્યા પછી ઠંડા પાણી પીવાથી પેટના ઘણા રોગો થાય છે. આથી જઠરાંગિ શાંત થઈ જાય છે અને આહારનું પાચન ઠીકથી નહી થાય.
આ જ રીતે કેટલાક લોકોને ભોજન પછી તરત જ ચા કે કૉફી પીવાની ટેવ હોય છે. ખાવા-પીવાના બાબતમાં આ બહુ ખરાબ ટેવ છે. આથી પેટમાં એસીડીટી વધે છે અને ભોજન પાચવામાં મુશેકેલી આવે છે. જો ચા કે કૉફી પીવી છે તો ભોજનના 2 કલાક પછી જ પીવી જોઈઈ.
ભોજન કર્યા પછી તરત જ ફળ નહી ખાવા જોઈએ. ભોજન પછી ફળ ખાવાથી એસિડીટી વધી જાય છે અને ગૈસની શિકાયત થઈ શકે છે. જો તમને ફળ ખાવું છે તો ભોજન કર્યા પછી 2 કલાક બાદ કે ભોજનના 1 કલાક પહેલા કોઈ ફળ ખાવું જોઈએ.
કેટલાક લોકો ભોજન પછી ધૂમ્રપાન કરે છે જો તમે ભોજન પછી ધૂમ્રપાન કરો છો તો એ એક સિગરેટનું અસર દસ ગણુ વધી જાય છે. સાથે જ કેંસર થવાનું ખતરો પણ 50 ટકા વધારે થઈ જાય છે.
કેટલાક લોકો ભોજન પછી નહાવાની ટેવ હોય છે. ભોજન પછી તરત જ નહાવાના કારણે લોહીનું પ્રાવાહ પેટની જગ્યા હાથ અને પગ તરફ વધી જાય છે. આ કારણે પાચન શક્તિ નબળી થઈ જાય છે.
તેલીય ખાદ્ય પદાર્થ , માખણ , સૂકા મેવા અને મિઠાઈ ખાધાના તરત પછી પાણી પીવાથી ખાંસી થઈ જવાની શકયતા હોય છે. જ્યારે ગરમ ભોજન , કાકડી , તરબૂચ , શકકરટેટી , મૂળા અને મકાઈ ખાધા પછી પાણી પીવાથી શરદી થઈ જવાની શકયતા હોય છે.
ભોજન પછી તરત જ સૂવા નહી જોઈએ . તરત જ સૂતા ભોજનની ઉપરની તરફ આવાથી એસિડીટી વધે છે અને પાચન ઠીકથી નહી થાય્ તમે ઈચ્છો તો માત્ર 10 મિનિટ માટે ડાબી કરવટ લેટી શકો છો.
બપોરના ભોજન પછી પણ 20 મિનિટ માટે ડાબી તરફ આડા પડી અને જો શરીરમાં આલસ્ય વધારે છે તો પણ અડધા કલાકથી વધારે ન સૂવૂ. ત્યાં જ રાત્રેના ભોજન પછી બહર આંટા મારવા જાઓ ( ઓછામાં ઓછા 500 પગલા) અને રાત્રેના ભોજન પછી ઓછામાં ઓછા 2 કલાક પછી જ સૂવૂં.