Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું સાચે પેટ્રોલ 75 રૂપિયા રૂપિયા દર લીટર મળશે

શું સાચે પેટ્રોલ 75 રૂપિયા રૂપિયા દર લીટર મળશે
, ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (11:00 IST)
સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની આસમાન સ્પર્શતા ભાવ રાહત લાવી શકે છે. ખરેખર, સરકાર પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનું વિચારી રહી છે. જો આવું થાય તો દેશભરમાં પેટ્રોલની કિંમત 75 રૂપિયા અને ડીઝલ 68 રૂપિયા પ્રતિ લીટર સુધી આવી શકે છે.
 
પેટ્રોલિયમ પદાર્થોના ઝડપથી વધતા ભાવ વચ્ચે રાહતના સમાચાર છે. પેટ્રોલ, ડીઝલ, પ્રાકૃતિક ગેસ અને એવિએશન ટર્બાઈન ફ્યુલ (એટીએફ) જેવા પેટ્રોલિયમ પદાર્થ જીએસટીના દાયરામાં લાવી શકાય છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળા જીએસટી મંત્રી સમૂહ આ અઠવાડિયે શુક્રવારે પેટ્રોલિયમ પદાર્થોના એક દેશ-એક ભાવના પ્રસ્તાવ પર ચર્ચા કરશે. આ દિવસે જીએસટી કાઉંસિલની 45મી બેઠક પણ છે. 
 
કોરોના મહામારી બાદ કાઉન્સિલની આ પ્રથમ ફિઝિકલ બેઠક છે. મંત્રી સમૂહે કેરલ હાઈકોર્ટના આગ્રહ પછી આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ મંત્રી સમૂહમાં સહમતિ બને છે તો આ પ્રસ્તાવને જીએસટી કાઉંસિંલને સોંપવામાં આવશે. પછી રે કાઉન્સિલ નક્કી કરશે કે દરખાસ્ત પર ક્યારે વિચાર કરવામાં આવે. 
 
સસ્તા થઈ જશે પેટ્રોલ ડીઝલ 
આ વર્ષે માર્ચમાં એસબીઆઈના આર્થિક સંશોધન વિભાગે તેના અહેવાલમાં કહ્યું હતું કે જો પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો કેન્દ્ર અને રાજ્યોની આવકમાં જીડીપીના માત્ર 0.4 ટકાનો ઘટાડો થશે. તે જ સમયે, પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવ્યા પછી, દેશભરમાં પેટ્રોલની કિંમત 75 રૂપિયા અને ડીઝલ 68 રૂપિયા પ્રતિ લીટર પર આવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચોમાસુ લાંબુ ચાલે તેવી સંભાવના, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી