Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

કર્ક
પારિવારિક જીવન - શનિ દેવ તમારા સપ્તમ ભાવમાં આખુ વર્ષ વિરાજમાન રહેતા, તમારા ચતુર્થ ભાવ પર દ્રષ્ટિ નાખશે. બીજી બાજુ રાહુ-કેતુ પણ આ આખુ વર્ષ આ દરમિયાન ક્રમશ: તમારા પાંચમા અને અગિયારમાં ભાવને સક્રિય કરશે. આ વર્ષે તમારા પરિવારમાં સ્વાસ્થ્યને લઈને કોઈ પણ પ્રકારની પરેશાની ઉત્પન્ન થઈ શકે છે. પરિવારની કોઈ વ્યક્તિ મોટી બીમારીથી પીડિત થઈ શકે છે. પરિવારમાં પરસ્પર ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. પરિવારને સાચવવુ થોડુ મુશ્કેલ રહેશે. તમે તમારી તરફથી પૂર્ણ પ્રયત્ન કરો નહી તો પરિસ્થિતિ બગડવામાં મોડુ નહી થાય. વૈવાહિક જીવન - આ વર્ષે વૈવાહિક જીવનમાં શરૂઆતના સમયમાં થોડી પરેશાની થઈ શકે છે, પરંતુ પાછળથી બધુ વ્યવસ્થિત થઈ જશે. જે લોકો છુટા પડ્યા છે તેમનુ પુર્નમિલન પણ થઈ શકે છે. મન દુ:ખ હશે તો દૂર થઈ જશે. અનેક લોકો માટે તેનાથી વિપરિત પરિણામ પણ મળી શકે છે. તમારી વાણી અને વ્યવ્હારમાં સૌમ્યતા રાખો. લવ રિલેશન - સપ્ટેમ્બર પછી, પાંચમા ઘરે બેસેલા ગ્રહને કારણે તમારા પ્રેમ સંબંધમાં મુશ્કેલી આવશે તમારે અફવાઓ પર ધ્યાન ન આપવુ, નહીં તો સંબંધોમાં દરાર પડી શકે છે, તમારા જીવનસાથી વિશે તમારા જ લોકો દ્વારા કહેવામાં આવેલ વાતો પર ધ્યાન ન આપો, અને સાથી પર વિશ્વાસ રાખશો તો જ તમારા પ્રેમ સંબંધ ટકી શકે છે. સ્વાસ્થ્ય - આ વર્ષ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. નહી તો મુશ્કેલી વધી શકે છે. તમને આંતરડા સંબંધિત રોગ થઈ શકે છે કે પછી મસ્તિષ્કને લઈને કોઈ પ્રકારની સમસ્યાથી તમે પીડાય શકો છો. તેથી સમયસર ડોક્ટરની મદદ લેવી યોગ્ય રહેશે. કેરિયર - કેરિયર પર નજર નાખીએ તો આ વર્ષ સારુ છે, આ દરમિયાન શુક્રની પરિવહન સ્થિતિ તમારી આ રાશિના જાતકોને આખુ વર્ષ પ્રભાવિત કરશે. આવી સ્થિતિમાં, તમને તમારા કેરિયરમાં ગતિ પ્રાપ્ત કરવાની તક મળશે, જે તમારી પ્રગતિમાં વધારો કરશે અને તમારુ પ્રમોશન પણ શક્ય છે, જો સમસ્યાઓ ઉભી થાય તો ઘણી વસ્તુઓને પ્રયાસ કરીને નિયંત્રિત કરી શકાય છે. શરૂઆતના મહિનાઓમાં તમને ખૂબ સાચવીને રહેવાની જરૂર છે કારણ કે નોકરી ગુમાવવાની સંભાવના ઘણી વધારે છે. આર્થિક સ્થિતિ- આ વર્ષ પૈસાની દ્રષ્ટિએ મિશ્રિત ફળ આપનારુ રહેશે. આવનારા મુશ્કેલ સમય માટે તમારે સંપત્તિનો સંગ્રહ જરૂર કરવો જોઇએ. તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, નાણાકીય જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવશે, પરંતુ તમે તમારી મહેનતને આધારે દરેક સમસ્યાને દૂર કરી શકશો, પરંતુ સપ્ટેમ્બર ઓક્ટોબર પછી બધુ જ સામાન્ય થવાની શરૂઆત થશે. કર્ક રાશિફળ 2021 મુજબ જ્યોતિષીય ઉપાય - તમારા માટે સતત બજરંગ બાણનો પાઠ કરવો અને શ્રીગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ સાબિત થશે. - શક્ય હોય તો રોજ ગુરૂ બૃહસ્પતિના બીજ મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી તમને સ્વાસ્થ્ય કષ્ટથી મુક્તિ મળશે. - સોમવારના દિવસે કોઈપણ શિવ મંદિરમાં જઈને શિવજીને ચોખા ચઢાવો અને શિવલિંગનો અભિષેક કરો. - તમે મંગળવારના દિવસે મંદિર જઈને લાલ રંગનો ધ્વજ પણ લગાવી શકો છો તેનાથી મંગલ ગ્રહ મજબૂત થશે અને તમને શુભ ફળ પ્રદાન કરશે.