Publish Date: Mon, 07 Nov 2016 (16:24 IST)
Updated Date: Mon, 07 Nov 2016 (16:53 IST)
ઘણી વાર માણસ સખ્ત મેહનત કર્યા પછી પણ આર્થિક તંગીનું સામાનો કરવું પડે છે. ઘરમાં ધન ટકાતું નહી. આ પરેશાનિઓના કારણે ઘરનું વાસ્તુ દોષ પણ થઈ શકે છે. એનાથી મુક્તિ મેળવવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવ્યા છે. જેને જમાવવાથી ઘરમાં ધન સંબંધી સમસ્યા ખત્મ થઈ જશે અને ધનમાં વૃદ્ધિ થશે.
* ધનની ઉણપ ન હોય એ માટે પાણીથી ભરેલી સુરાહી ઘરની ઉત્તર દિશામાં રાખવાથી લાભ થશે. સુરાહી ન હોય તો માટીનો નાનકડું માટલું પણ રાખી શકો છો. માટલા કે સુરાહી ખાલી ન રહે આથી પાણી ખત્મ થતા એને ફરીથી ભરી દો.
* ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રામ ભક્ત હનુમાનની પંચસ્વરૂપ વાળી પ્રતિમા કે ચિત્રપટ લગાવીને નિયમિત રૂપથી પૂજા કરો. આવું કરવાથી ઘરમાં હમેશા ધનનું આગમન રહેશે.
* ઘરના જે ભાગમાં પારિવારિક સભ્ય વધારે સમય વ્યતીત કરો. ત્યાં ચાંદી, પીતળ કે તાંબાથી નિર્મિત પિરામિડ રાખવું જોઈએ. આવું કરવાથી આવકના સાધનોમાં વૃદ્ધિ થાય છે. તેની સાથે જ ઘરમાં ધનની ક્યારે ઉણપ નહી હોય .
* ઘરના મુખ્ય બારણા પર દેવી લક્ષ્મી, ધનના દેવતા કુબેર કે સ્વાસ્તિકનું ચિહ્ન કે ચિત્રપટ લગાડો. એનાથી ઘરમાં ધનની ઉણપ નહી થાય.
* વાસ્તુ મુજબ ધાતુથી નિર્મિત કાચબા અને માછલી ઘરમાં રાખવું શુભ હોય છે. આવું કરવાથી ધનથી સંબંધિત બધી સમસ્યાઓ સમાપ્ત થવા લાગે છે.
* ઘરમાં આર્થિક તંગીના કારણે વાસ્તુદોષ પણ હોય છે. વાસ્તુદોષથી મુક્તિ માટે ઘરમાં વાસ્તુ દેવતાના ચિત્રપત કે પ્રતિમા રાખવાથી લાભ હોય છે. અને ઘરમાં કયારે પણ ધનની ઉણપ નહી હોય .