Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu and Puja Ghar - વાસ્તુ મુજબ ઘરમાં પૂજાનું સ્થાન ક્યાં હોવું જોઈએ જાણો

vastu puja ghar
, શુક્રવાર, 10 જૂન 2022 (07:40 IST)
સનાતન ધર્મમાં કહેવાય છે કે ઘરમાં મંદિર રાખવાથી તે ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આજે આપણે વિકાસના પંથે છીએ, પરંતુ આજે પણ હિંદુ પ્રજાએ પોતાની સંસ્કૃતિ અને સંસ્કાર છોડ્યા નથી.
 
ઘર ભલે નાનું હોય કે મોટું, પોતાનું હોય કે ભાડાનું, પરંતુ દરેક ઘરમાં મંદિર અવશ્ય હોય છે. ઘણી વખત, પૂજા માટે સ્થળ બનાવતી વખતે, લોકો અજાણતામાં નાની-નાની ભૂલો કરે છે. આ ભૂલોના કારણે વ્યક્તિને પૂજાનું ફળ મળતું નથી.
 
ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં પૂજા સ્થાન ક્યાં હોવું જોઈએ અને ઘરના મંદિર વિશે અન્ય મહત્વપૂર્ણ માહિતી -
 
ઉત્તર-પૂર્વ, પૂજાનું ઘર
ઇશાનમાં મંદિરનું સ્થાન વાસ્તુમાં શ્રેષ્ઠ રીતે વર્ણવવામાં આવ્યું છે. વાસ્તુ કહે છે કે ઘરનું મુખ કોઈપણ દિશામાં હોય પરંતુ પૂજા સ્થળને ઈશાન દિશામાં રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
 
ઉત્તર-પૂર્વ દિશા શા માટે?
ઉત્તર-પૂર્વ દિશાના મહત્વનું વર્ણન કરતાં, વાસ્તુ કહે છે કે જ્યારે વાસ્તુ પૃથ્વી પર લાવવામાં આવી ત્યારે તેની ટોચ ઉત્તર-પૂર્વ દિશામાં હતી. એટલા માટે આ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશામાં આપણને સૂર્યના પવિત્ર કિરણો મળે છે જે વાતાવરણને સકારાત્મક બનાવે છે.
 
વાસ્તુ જણાવે છે કે બેડરૂમમાં મંદિર ક્યારેય ન બનાવવું જોઈએ. જો કોઈ કારણસર ઘરમાં બેડરૂમ કે શયનખંડમાં મંદિર બનાવવું હોય તો મંદિર પર પડદો અવશ્ય રાખવો. રાત્રિના સમયે મંદિરને ઢાકી દેવુ જોઈએ.
 
વાસ્તુ મુજબ પૂજા ઘર 
 
- ઘરમાં સીડીની નીચે, શૌચાલય કે બાથરૂમની બાજુમાં કે ઉપર અને ભોંયરામાં મંદિર હોવું ઘરની સુખ-સમૃદ્ધિ માટે સારું નથી માનવામાં આવતું. 
-વાસ્તુશાસ્ત્ર અનુસાર જે દેવી-દેવતાઓના બે હાથથી વધુ હાથમાં શસ્ત્રો હોય તેમની તસવીરો પણ ન લગાવવી જોઈએ.
- ઘરની આસપાસના મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર પર સ્થાપિત દેવી-દેવતાની મૂર્તિ લગાવવી જોઈએ.
- વાસ્તુ શાસ્ત્ર મુજબ વ્યક્તિએ પોતાનું ઘર 3 મહિનાથી વધુ સમય સુધી ખાલી ન છોડવું જોઈએ, જો તમે કોઈ કારણથી ઘરની બહાર જઈ રહ્યા છો તો તમે ભૂલથી પણ પૂજા ઘરમાં તાળું ન લગાવો.
- જો તમે કોઈ એવા મકાનમાં પ્રવેશ કરી રહ્યા છો જે ઘણા વર્ષોથી ખાલી પડ્યું છે તો એવી સ્થિતિમાં તમે વાસ્તુ શાંતિ કરાવ્યા વગર તે ઘરમાં પ્રવેશ ન કરો.
- વાસ્તુ શાસ્ત્ર મુજબ વ્યક્તિએ ક્યારેય પણ તમારા ઘરનું મંદિર રસોડામાં ન બનાવવું જોઈએ, તેનાથી કુટુંબના લોકોને નુકશાન પહોચે છે.
- તમે તમારા ઘરનું મંદિર ઇશાન ખૂણામાં બનાવડાવો, તેનાથી કુટુંબમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હંમેશા જળવાઈ રહે છે, તે ઉપરાંત તમે ઘરનું મંદિર ક્યારેય પણ સીડીઓની નીચે ન બનાવો.
- ઘણા બધા લોકો એવા છે જે લાકડાનું મંદિર બનાવે છે, જો તમે પણ ઘર મંદિર લાકડાનું બનાવ્યું છે તો તમે તેને તમારા ઘરની દીવાલ સાથે અડાડીને ન રાખશો.
- વાસ્તુ નિયમ મુજબ જો તમે તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશ અને ઘનની દેવી માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટો રાખી રહ્યા છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે શ્રી ગણેશ અને માં લક્ષ્મીની મૂર્તિ ક્યારેય પણ ઉભી ન રાખો અને  પૂજા સ્થળ અંધારામાં ના હોવું જોઈએ.
- વસ્તુ શાસ્ત્ર મુજબ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે ઘરના પૂજાઘરમાં ઘુમ્મટ, કળશ ન બનાવો, 
-  ઘરની અંદર એક જ મંદિર હોવું જોઈએ, જે સ્થળ ઉપર તમે મંદિર બનાવ્યું છે તે સ્થળ તરફ પગ રાખીને ન સુવો.
- પૂજા ઘરની અંદર પૂજા સામગ્રી અને ધાર્મિક પુસ્તકો રાખવામાં આવે છે, તમે આ વસ્તુ મંદિરની નીચે રાખી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vastu Tips for Worship - પૂજા કરતી વખતે ભક્તનું મોઢુ કઈ દિશામાં હોવુ શુભ છે ?