Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમારા ઘરમાં પૈસાની કમીને દૂર કરી શકે છે આ 4 ઉપાય

તમારા ઘરમાં પૈસાની કમીને દૂર કરી શકે છે આ 4 ઉપાય
, બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (17:44 IST)
ઘરમાં વાસ્તુ દોષ થતા હંમેશા પૈસાની કમી બની રહે છે. એવુ કહેવાય છે કે  તેનાથી જો ઘરમાં પિતૃદોષ  છે તો હંમેશા ધનની કમી બની રહે છે. આવામાં લોકોના હાથમાં પૈસા  રોકાય પણ છે. અને આ લોકોના ખર્ચ વધુ થાય છે. વાસ્તુ મુજબ આજે અમે બતાવી રહ્યા છે આવા 5 ઉપાય જે તમારા ઘરમાં પૈસાની કમીને દૂર કરી શકે છે. આ ઉપાયોને અપનાવીને તમે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવી શકે છે.  આગળની સ્લાઈડમાં વાંચો આ ટિપ્સ.. 
 
1. પાણીથી ભરેલો ઘડો - ઘરની ઉત્તર દિશા ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ દિશાને કુબેરની દિશા કહેવાય છે. આ દિશામાં રોજ પાણીથી ભરેલી સુરાઈ કે ઘડો મુકવો જોઈએ. કહેવાય  છે કે આ વાસ્તુના ઉપાયને કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી થતી નથી.  પણ આ સુરાઈને રોજ બદલવી જોઈએ. રોજ તેનુ પાણી બદલવુ જોઈએ. 
 
 
વાસ્તુ દેવતાની તસ્વીર - ઘરમાં વાસ્તુ દેવતાની મૂર્તિ કે તસ્વીર મુકવી જોઈએ. એવુ કહેવાય છે કે તેને મુકવાથી ઘરના બધા વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.  તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા રહેતી નથી અને ધન લાભના યોગ બને છે. 
 
પંચમુખી હનુમાન -  ભગવાન હનુમાનની પંચમુખવાળી મૂર્તિ કે તસ્વીર ઘરમાં પૈસાની કમીને દૂર કરે છે.  તેને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવી જોઈએ. 
 
4. ઘરના ખૂણામાં મુકો મીઠુ - ઘરના ચારે ખૂણામાં મીઠુ મુકવુ જોઈએ. તેને સવારે ઉઠીને કોઈને બતાવ્યા વગર ઉઠાવી લેવુ જોઈએ.  આ ઉપરાંત ઘરમાં જ્યારે મીઠાને કાચના જારમાં મુકો તો તેમા એક લવિંગ નાખી દો.  વાસ્તુ વિશેષજ્ઞો મુજબ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને પૈસો આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફેબ્રુઆરી 2017 માસિક રાશિફળ