Publish Date: Tue, 23 Jul 2024 (17:11 IST)
Updated Date: Tue, 23 Jul 2024 (17:15 IST)
નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળનુ પહેલુ સામાન્ય બજેટ રજુ કર્યુ. બજેટમાં સરકારે ગરીબો અને મિડલ ક્લાસ ફેમિલી માટે અનેક જાહેરાતો કરી છે. આવો જાણીએ સામાન્ય માણસ અને મિડલ ક્લાસને બજેટમાં શુ શુ મળ્યુ.
કેંસરની દવાઓ સસ્તી થશે
સરકારે સામાન્ય લોકોને રાહત આપતા કેંસરની ત્રણ દવાઓ - ટ્રૈસ્ટુજુમૈબડેરક્સટેકન, ઓસિમર્ટિનિબ અને ડુર્વાલુમાબને સીમા શુલ્કની પુરી છૂટ આપી દીધી છે. તેનાથી આ દવાઓ સામાન્ય સસ્તા દરે મળી શકશે.
મોબાઈલ ફોન સસ્તા થશે
સરકારે મોબાઈલ ફોન, મોબાઈલ સર્કિટ બોર્ડ અસેંબલી અને મોબાઈલ ચાર્જર પર સીમા શુલ્ક ઘટાડીને 15 ટકા કરી દીધુ. તેનાથી મોબાઈલ ફોન અને મોબાઈલ ચાર્જર સસ્તા થશે.
સોના-ચાંદીના આભૂષણ સસ્તા થશે
બજેટમાં સોના-ચાંદી પર સામાન્ય જનતાને ખુશખબર મળી. નાણામંત્રીએ સોના અને ચાંદી પર લાગનારી કસ્ટમ ડ્યુટીને ઘટાડીને 6 ટકા કરી નાખી. જે પહેલા 15 ટકા હતી. સરકારની આ જાહેરાત સાથે એમસીએક્સ પર 24 કેરેટ સોનાના 5 ઓગસ્ટ 2024ના કૉન્ટ્રેક્ટનો ભાવ 5.33 ટકા ગબડીને 68,840 રૂપિયા થઈ ગયો. બીજી બાજુ ચાંદીના 5 સપ્ટેમ્બર2024ના કૉન્ટ્રેક્ટનો ભાવ 4.62 ટકા ગબડીને 85,079 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો.
નવી ટેક્સ રિજીમથી નોકરિયાત લોકોને મળશે રાહત
બજેટમાં ટેક્સના મોરચા પર પણ સામાન્ય માણસને રાહત આપવામાં આવી છે. નવી ટેક્સ રિજીમમાં 3 થી 7 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ સ્ટેડર્ડ ડિડ્ક્શનને 50000 રૂપિયાથી વધારીને 75000 રૂપિયા કરી દેવામાં આવ્યુ છે.
ઘર ખરીદવા પર મળશે સબસીડી
સરકારે મંગળવારેને પ્રધાનમંત્રી રહેઠાણ યોજનાના હેઠળ એક કરોડ શહેરી ગરીબ અને મઘ્યમ વર્ગીય પરિવારોની રહેઠાણ જરૂરિયાતને પુર્ણ કરવા માટે આગામી પાંચ વર્ષમાં 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય મદદની જાહેરાત કરી અને સસ્તા દરે લોન મેળવવા માટે વ્યાજ સબસીડીનો પ્રસ્તાવ મુક્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણએ પોતાના બજેટ ભાષણમાં કહ્યુ પીએમ રહેઠાણ યોજના શહેરી 2.0 હેઠળ 10 લાખ કરોડ રૂપિયાના રોકાણથી એક કરોડ શહેરી ગરીબ અને મઘ્યમ વર્ગીય પરિવારની રહેઠાણ જરૂરિયાતોને પુર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યુ તેમા આગામી પાંચ વર્ષમાં 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતા પણ સામેલ થશે. મંત્રીએ કહ્યુ કે સરકાર સસ્તા દરે ઋણ ઉપલબ્ધ કરાવવા માટે વ્યાજ સબસીડી આપવાની પણ યોજના બનાવી રહી છે.
5 રાજ્યોના ગરીબો માટે શરૂ થશે આ યોજના
ઝારખંડ અને આદિવાસી વસ્તીને લઈને બજેટમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં 'પૂર્વોદય' નામની યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ઝારખંડ ઉપરાંત બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય આ પાંચ રાજ્યોમાં સર્વાંગી વિકાસને વેગ આપવા માટે માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ અને આર્થિક તકોનું સર્જન કરવાનો છે, જેથી આ પ્રદેશ વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવે.
મઘ્યમવર્ગીય પરિવારને શુ મળ્યુ
બજેટમાં આર્થિક મોરચે મધ્યમ વર્ગના લોકોને સમૃદ્ધ બનાવવાની દિશામાં અનેક પગલાં લેવામાં આવ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજના પણ શરૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત મધ્યમ વર્ગના લોકોના હિતને ધ્યાનમાં રાખીને રૂફ ટોપ સોલાર એનર્જી પણ જાહેર કરવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યું, “નજીકના ભવિષ્યમાં સરકાર મધ્યમ વર્ગના લોકો માટે ઘણી યોજનાઓ બનાવશે. સરકાર ભાડાના મકાનમાં રહેતા લોકોને પોતાનું મકાન આપવા માટે આર્થિક સુવિધા પણ આપશે.
અભ્યાસ કરવા માટે મળશે હવે આટલી લોન
નાણામંત્રીએ કહ્યું કે મધ્યમ વર્ગના લોકોના ઉત્થાન માટે MSME પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવા માટે અમે આવનારા દિવસોમાં ઘણા પગલાં લઈશું. મધ્યમ વર્ગના પરિવારોને શિક્ષણ મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને નાણામંત્રીએ એજ્યુકેશન લોનની સુવિધા વિકસાવી છે. નાણામંત્રીએ કહ્યું કે ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા મધ્યમ વર્ગના પરિવારોના યુવાનોને 10 લાખ રૂપિયાની લોનની સુવિધા આપવામાં આવશે. નિર્મલા સીતારમને કહ્યું, 'જે લોકોએ પહેલાથી જ લોન લીધી છે અને તેને ચૂકવી દીધી છે, તેમના માટે મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે.