Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tokyo Olympics- ભોજનાલયમાં ભારતીય ખેલાડીઓની ડિશ શાકાહારી, ખેલાડીઓએ લીધા રાહતના શ્વાસ

Tokyo Olympics- ભોજનાલયમાં ભારતીય ખેલાડીઓની ડિશ શાકાહારી, ખેલાડીઓએ લીધા રાહતના શ્વાસ
, બુધવાર, 21 જુલાઈ 2021 (17:44 IST)
ખેલ ગામના ભોજનાલયમાં દાળ, રોટલી છોલા ભટૂરા ભિંડી રીંગણુ પનીર નૉન બટર ચિકન જોઈ ખુશ થયા ભારતીય ખેલાડી - પહેલા ઓલંપિકમાં આ પ્રકારની ડિશને નથી આપી હતી પ્રમુખતા 

શાકાહારી ભારતીય ખેલાડીઓની ચિંતાનું સૌથી મોટું કારણ દૂર થઈ ગયું છે. ટોક્યો ઓલિમ્પિક ખેલ ગામના ડાઇનિંગમાં ભારતીય વાનગીઓનીથી ભરપૂર ભારતીય ખેલાડીઓ ખુશ થઈ ગયા છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને ચિંતા હતી કે શું ખેલ ગામની ડાઇનિંગમાં શાકાહારી ભારતીય ભોજન આપવામાં આવશે કે નહી. તેને ધ્યાનમાં રાખીને તેમણે આયોજક સમિતિને અપીલ કરી હતી કે ભારતીય વાનગીઓને ડાઈનિંગમાં રાખવા જ જોઇએ. 
 
આટલી બધી વાનગીઓ જોઇને ખેલાડીઓ આનંદ સાથે ઉછળ્યા
આઈઓએની આ વિનંતીનું આયોજન સમિતિએ સાંભળ્યું છે. જ્યારે કેટલાક ભારતીય ખેલાડીઓ શનિવારે જમવામાં પ્રવેશ્યા ત્યારે તેઓ એશિયન વાનગીઓના કાઉન્ટર પર સૂકી ભીંડાનુ શાક, રીંગણાનુ શાક, પનીર, ટોફુ, છોલે ભટુરે, દાળ, રોટલી, નાન અને બટર ચિકન જોઈને આનંદ અનુભવતા હતા. ભારતીય વેઇટલિફ્ટિંગ ટીમના મુખ્ય કોચ વિજય શર્માથી ભોજનનો વખાણ કરવાથી પાછળ ન રહ્યા. તેમણે રિયો ઓલિમ્પિકની તુલનામાં અહીંના ખોરાકની પ્રશંસા કરી.
 
શાકાહારી ભારતીયોની ચિંતા થઈ દૂર 
શૂટર સૌરભ ચૌધરી, મનુ ભાકર, અભિષેક વર્મા સિવાય ઘણા અન્ય ભારતીય ખેલાડીઓ શાકાહારી છે. આઇઓએને આવા ખેલાડીઓની ચિંતા હતી, પરંતુ આયોજક સમિતિની ગોઠવણી બાદ ભારતીય ખેલાડીઓની આ ચિંતા દૂર થઈ ગઈ છે. પાછલા ઓલિમ્પિકમાં કુસ્તીબાજ સુશીલ કુમાર સહિત ઘણા શાકાહારી ખેલાડીઓએ ભારતીય ભોજન પોતાની સાથે લઈ જવો પડતુ હ્તું. બીજિંગ ઓલિમ્પિક્સ દરમિયાન સુશીલ કુમારે ખુલાસો કર્યો હતો કે તેણે તેની સાથે ઘણું ભારતીય ભોજન સાથે લઈને ગયા હતા. 
 
પરંતુ રેસ્ટોરન્ટનું વાતાવરણ એક સરખા નથી 
ઓલિમ્પિક ગેમ્સ ગામની રેસ્ટોરન્ટમાં, આયોજકોનો હંમેશાં એક જ પ્રયાસ હતો કે બધા દેશોના ખેલાડીઓ એક બીજાના દેશના ભોજનનો આનંદ માણવા માટે ભેગા થાય, પરંતુ આ વખતે એવું નથી. કોરોનાને કારણે, ઘણી સાવચેતી રાખવા સૂચનો આપવામાં આવ્યા છે. કોઈ એક સાથે બેસીને ખાય નહીં. ભીડ ભેગી કરી શકતા નથી. જમતી વખતે વાત પણ કરી શકતા નથી. તે જરૂર છે કે રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લો જ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતને જલ્દી જ સોંપવામાં આવશે મુંબઈ હુમલાનો માસ્ટરમાઈંડ તહવ્વુર રાણા