જો Salary આવતા જ ખત્મ થઈ જાય છે, તો તમારે કરવો જોઈએ આ ઉપાય
Publish Date: Wed, 06 Dec 2017 (13:46 IST)
Updated Date: Mon, 04 Dec 2017 (12:42 IST)
1. સેલેરીની સમસ્યા
ઘણા લોકોની સાથે આવું થાય છે કે સેલેરી આવતા જ ખત્મ થઈ જાય છે અને બચત થતી નથી. હજાર કોશિશ પછી પણ પૈસા ટકતા નથી અને પછી મહીનો ખત્મ થતા સુધી બીજાની આગળ હાથ ફેલાવવા પડે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે રવિવારે આ જ્યોતિષીય ઉપાય જરૂર કરવો જોઈએ. આ ઉપાયોથી જરૂર તમારી આ સમસ્યાનો ઉકેલ થઈ જશે.
2. સૂર્યદેવ - સૂર્ય દેવને યશ અને વૈભવનો કારક ગણાય છે અને રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત હોય છે. જો આ દિવસે કોઈ સૂર્યદેવની સાચા મનથી આરાધના કરે તો તે માણસના ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. એવા લોકોને ક્યારે પણ ધનધાન્યની કમી રહેતી નથી.
3. જો સેલેરી જલ્દી ખત્મ થવાના કારણથી તમે હમેશા પરેશાન રહો છો તો તમારા રવિવારની રાત્રે સૂતા સમયે એક ગ્લાસ દૂધ ભરીને તમારા માથા પાસે રાખવું પણ ગ્લાસ રાખતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે ઉંઘમાં પણ ગ્લાસ તમારા હાથથી પડી ન જાય. બીજા દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કર્યા પછી તે દૂધને કોઈ બબૂલના ઝાડમાં ચઢાવી દો.
4. તમારે આ ઉપાય નિયમિત દર રવિવારે કરવાનો છે. આ ઉપાયથી નક્કી જ તમને ફાયદો થશે અને તમારી આર્થિક પરેશાનીઓ પણ દૂર થશે.
5. સૂર્ય યંત્ર - સફળતા અને વૈભવ પ્રદાન કરતા સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે તમે તમારા ઘરમાં સૂર્ય યંત્રની સ્થાપના કરી શકો છો. આ યંત્રના પ્રભાવથી તમારા કેરિયર અને કામમાં સફળતા જરૂર મળશે.
આગળનો લેખ