Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાલ કિતાબ મુજબ તમારી દરેક સમસ્યાના સમાધાન માટેના ઉપાયો

લાલ કિતાબ મુજબ તમારી દરેક સમસ્યાના સમાધાન માટેના ઉપાયો
, શુક્રવાર, 6 મે 2016 (12:56 IST)
દરેકના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી જરૂર આવે  છે. લાલ કિતાબમાં  એવા ઘણા ઉપાય  જણાવ્યા છે જેની મદદથી તમે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકો છો  અહીં તમને આવા જ કેટલાક ઉપાય જણાવી રહ્યા છે જે લાલ કિતાબમાંથી લીધેલા છે.  
 

પ્રેમ લગ્નમાં અવરોધ આવી રહ્યો હોય તો .... 

 
webdunia
શુક્લ પક્ષના ગુરૂવારથી શરૂ કરીને વિષ્ણુ અને લક્ષ્મીમાંની મૂર્તિ કે ફોટો આગળ "ૐ લક્ષ્મી નારાયણ નમ:"મંત્રના  રોજ ત્રણ સ્ફટિક માળા જાપ કરો. ત્રણ મહીના સુધી પ્રત્યેક  ગરૂવારે મંદિરમાં પ્રસાદ ચઢાવો  અને લગ્નની સફળતા માટે પ્રાર્થના કરો. 

 
અટવાયેલુ  ધન પરત મેળવવા માટે 

webdunia
 
જો તમારુ  ધન ક્યાં ફસાઈ ગયું છે અને પૈસા પરત નથી મળી રહ્યા  તો  તમે રોજ સવારે સ્નાન પછી એક પાત્રમાં જળ લઈને તેમા લાલ મરીના 11 બી નાખો અને સૂરજને જળ અર્પણ કરો. એની સાથે ઓમ આદિત્યાય નમ:નો જાપ કરો, અને પૈસા પાછા મેળવવા માટે પ્રાર્થના કરો. 
 

નોકરીમાં પરેશાની આવી રહી છે તો 

webdunia
 
શુક્રવારે  કોઈ પણ સ્ટીલનું  તાળુ ખરીદો આ તાળાને તમે પણ ખોલશો કે દુકાનદારને પણ ન ખોલવા દો.  આ બંધ  તાળાને શુક્રવારની રાતે તમારા રૂમમાં મુકો . શનિવારે સવારે ઉઠીને નહાઈ-ધોઈને આ બંધ  તાળાને કોઈ પણ ધાર્મિક સ્થાન પર મુકી દો જ્યારે પણ કોઈ આ તાળાને ખોલશે તમારી કિસ્મતનું તાળુ ખુલી જશે. 

પતિને વશમાં કરવા માટે 

webdunia

 
શુક્લ પક્ષમાં એક નાગરવેલનું પાન લો  અને તેના પર ચંદન અને કેસરનુ  તિલક મિકસ કરી મુકો. પછી દુર્ગા માતાના ફોટો સામે બેસીને ચંડી સ્તુતિ પાઠ 43 દિવસ સુધી કરો. પાનનું પાંદડુ રોજ નવુ લેવુ.  43 દિવસ પછી બધા પાન પાણીમાં પ્રવાહી કરી દો. પાઠ કર્યા પછી કેસર ચંદનવાળુ તિલક માથા પર લગાવી પતિના સામે જાવ,  શીઘ્ર સમસ્યાનું  સમાધાન થશે. 

 
પ્રમોશન નહી થઈ રહ્યા તો 

webdunia
 
ગુરૂવારના દિવસે કોઈ મંદિરમાં પીળી વસ્તુઓ જેમ કે ખાદ્ય પદાર્થ, ફળ, કપડા વગેરે દાન કરો. રોજ સવારે ઉઘાડા પગે ઘાસ પર ચાલવું. આનાથી તમને ઘણો લાભ થશે. 

બ્લ્ડ પ્રેશર કે ડિપ્રેશનથી પરેશાન છો તો ... 
webdunia
 
રવિવારે રાતે સૂતા સમયે માથા પાસે  325 ગ્રામ દૂધ મુકીને સુવુ.  સોમવારે સવારે ઉઠીને સૌથી પહેલા આ દૂધને કોઈ પીપળના ઝાડમાં અર્પિત  કરી દો. આ ઉપાય 5 રવિવાર સુધી સતત કરો . લાભ થશે. 
 

બનતુ કામ બગડી જાય તો...  

webdunia
 
જો તમારો બનતું કામ બગડી જાય છે અને લાભ નથી થતો તો દરેક મંગળવારે હનુમાનજીના ચરણોમાં મીઠી બૂંદી ચઢાવીને તે પ્રસાદને બહાર ગરીબોમાં વહેંચી દો. આ ઉપાયથી  ઘણો લાભ થશે. 

રોગોથી છુટકારો મેળવા માટે 


webdunia
જો તમે રોગોથી પરેશાન છો તો સૂતી સમયે  તમારા માથા પાસે પૂર્વની તરફ એક વાટકીમાં સિંધણ લૂણ ના થોડા ટુકડા રાખો. . આવુ કરવાથી તમારુ આરોગ્ય સારુ રહેશે. 

માનસિક પરેશાની દૂર કરવા માટે 

webdunia
 
માનસિક  પરેશાનીથી છુટકારો મેળવવા માટે રોજ હનુમાનજીનુ  પૂજન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. દરેક શનિવારે તેલ ચઢાવવું. તમારી પહેરેલી એકાદ જોડી ચપ્પલ કોઈ ગરીબને દાન કરો. 
 

આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવા... 

webdunia

 

 
જો તમારા ઘર-વ્યાપારમાં હમેશા અર્થિક સમસ્યા બની રહેતી હોય તો  21 શુક્રવાર સુધી 9 વર્ષથી ઓછી વયની 5 કન્યાઓને ખીર અને મિશ્રીનો પ્રસાદ વહેંચો. આવું કરવાથી આર્થિક પરેશાની દૂર થશે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (06-05-2016)