Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

બુધવારના 7 અચૂક ઉપાય અને ટોટકા તમારુ દરેક વિધ્ન કરશે દૂર

બુધવાર
, બુધવાર, 22 જાન્યુઆરી 2020 (09:12 IST)
બુધવારનો દિવસ ખાસ રૂપે ગણેશજીની પૂજા અર્ચના કરવાનો હોય છે. કારણ કે શ્રી ગણેશજીને વિધ્નહર્તા કહેવાય છે. તેઓ ખુદ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે. 
 
શ્રીગણેશ બધા વિધ્નો રોગ દોષ અને દરિદ્રતાને દૂર કરે છે. જો કોઈપણ કારણવશ તમે તમારા કાર્યમાં સફળ નહી થઈ શકતા તો   તે ખુદ રિદ્ધિ સિદ્ધિના દાતા અને શુભ લાભના પ્રદાતા છે. 
 
શ્રી ગણેશ બધા વિધ્નો, રોગ, દોષ અને દરિદ્રતા દૂર કરે છે. જો કોઈપણ કારણવશ તમે તમારા કાર્યમાં સફળ ન થઈ રહ્યા હોય તો અજમાવો શ્રીગણેશને પ્રસન્ન અક્રવાના સરળ અને પ્રભાવશાળી ઉપાય અને ટોટકા.. 
 
બુધવારના દિવસે ગણેશજીને સિંદૂર અર્પિત કરો. તેમને સિંદૂર ચઢાવવાથી સમસ્ત પરેશાનીઓ દૂર થઈને બધી સમસ્યાઓનુ સમાધાન થાય છે. 
 
- બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન જરૂર કરો. 
 
કોઈ ગરીબને લીલા મગનુ દાન કરો. મગ બુઘ ગ્રહથી સંબંધિત અનાજ છે. તેનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે. 
 
સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો. પન્ના ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષિને કુંડળીનો અભ્યાસ કરાવી લેવો જોઈએ. 
 
બુધવારે સવારે જલ્દી ઉઠો અને સ્નાન આદિ કામોથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે. 
 
 
ગણેશજીને સિંદૂર ચઢાવો. હનુમાનજી સાથે જ ગણેશજીનો શ્રૃંગાર પણ સિંદૂરથી કરવામાં આવે છે. તેથી ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે. 
 
 
બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

22 જાન્યુઆરીનું રાશિફળ - તમારા માટે ખાસ છે