Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરના મંદિરમાં હોવી જોઈએ આ 10 વસ્તુઓ

ઘરના મંદિરમાં હોવી જોઈએ આ 10 વસ્તુઓ
, શુક્રવાર, 20 એપ્રિલ 2018 (05:13 IST)
શાલીગ્રામ - વિષ્ણુંના પત્થરનો ટુકડો.. જેના પર ચક્ર એવુ ચિન્હ અંકિત કરેલુ હોય છે. આ ફક્ત  નેપાળમાં જોવા મળે છે. 
 
શિવલિંગ - મહાદેવની ગોળ આકારની જનોઈ ધારણ કરેલી પ્રતિમૂર્તિ શિવલિંગ અર્થાત શિવજીની  જ્યોતિ 
webdunia
તાંબાનુ પાત્ર - પાણી ભરેલા તાંબાના લોટામાં તુલસી નાખીને મુકો. તેમા મુકેલુ પાણી આચમન  વડે ત્રણવેળા ગ્રહણ કરવામાં આવે છે. 

પંચામૃત - દૂધ, દહી, મધ, ઘી, શુદ્ધ જળ કે પછી દૂધ, દહી, મધ, ઘી વગેરેનું મિશ્રણ અથવા દૂધ,  દહી, ખાંડ, મધ મિક્સ કરીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે. નૈવેદ્ય બતાવ્યા પછી આ મિશ્રણ  ગ્રહણ કરવામાં આવે તો લાભદાયક છે. 
webdunia
 
ચંદન - ચંદન અને ઘસવાનો પત્થર ઘરના મંદિરમાં મુકવો. શાલીગ્રામ અને શિવલિંગ પર ચંદન  લગાડવામાં આવે છે એ જ  રીતે કપાળ પર ચંદન લગાડવાથી મસ્તક શાંત રહે છે. ચંદનના  સુવાસથી નકારાત્મક વિચાર આવતા નથી . 
webdunia

ચોખા - અક્ષત મતલબ ચોખા સંપન્નતાનું પ્રતિક છે. અક્ષત ચઢાવવા મતલબ આપણા પૂજા માટે  આપણા વૈભવનો ઉપયોગ કરવો 
 
ફુલ - દેવી દેવતા સામે ફુલ ચઢાવવામાં આવે છે. આ સુંદરતાનું પ્રતિક છે.. મતલબ આપણા  મનમાં અને બાહ્ય સ્વભાવમાં સુંદરતા હોવી જોઈએ 
webdunia
 
નૈવેદ્ય - નૈવેદ્ય ઈશ્વરને અર્પિત કરવો જે રીતે નૈવેદ્ય ગળ્યો હોય છે એ જ રીતે આપણા જીવનમાં  પણ મીઠાશ હોવી જોઈએ. ભગવાનને ફળ-મીઠાઈ-મેવા કે પછી પંચામૃતનો પ્રસાદ ધરાવવો  જોઈએ. 

કંકુ - ચુનાનુ લાલ મિશ્રણ અને હળદર મિક્સ કરીને તૈયાર કરાતા મિશ્રણને કંકુ કહે છે.  આ શુભ  માનવામાં આવે  છે. આ સાહસનુ પ્રતિક છે. 
webdunia
 
ધૂપ - ઘરમાં અગરબત્તીને બદલે ધૂપ પ્રગટાવો. ધૂપ પ્રગટાવવાથી આપણા મનનું અને ઘરનું  વાતાવરણ સકારાત્મક અને સુવાસિત થાય છે 
 
દિવો - પારંપારિક દિવો માટીનો હોય છે. તેમા પાંચ તત્વ માટી, જળ, અગ્નિ અને વાયુ હોય છે.  હિન્દુ અનુષ્ઠાનમાં પાંચ તત્વોની ઉપસ્થિતિ અનિવાર્ય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુહાગરાતમાં વધૂ- વર માટે દૂધનો ગિલાસ લઈને આવે છે, જાણો કારણ