Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Garuda Purana: ઘરમાં કોઈની મોત પછી શા માટે નહી સળગાવતા ચૂલો? કારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જરૂર જાણી લો

Garuda Purana: ઘરમાં કોઈની મોત પછી શા માટે નહી સળગાવતા ચૂલો? કારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જરૂર જાણી લો
, મંગળવાર, 5 જુલાઈ 2022 (07:08 IST)
Hindu Death Rituals- હિંદુ ધર્મ ગણાવતા લોકો પરિવારમાં કોઈની મૃત્યુ થવાના થોડા સમય સુધી ચૂલો નહી સળગાવે છે તે સિવાય અંતિમ સંસ્કાર પછી આખા ઘરની સાફ સફાઈ પણ કરાય છે તેના પાછળ કેટલાક ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે. 
 
Why should not cook food after death in house:  દરકે ધર્મમાં મૃત્યુ  અને તે પછીની અંતિમ ક્રિયાઓને લઈન કેટલાક નિયમ અને પરંપરાઓ છે. કોઈની મૃત્યુ પછી થોડા સમય સુધી ચૂલો ન પ્રગટાવવા અને ભોજન ન રાંધવાનો નિયમ છે. તે સિવાય મૃતકનો પરિવાર અંતિમ સંસ્કારથી લઈને તેરમી અને તે પછી ઘણી રીતીઓ કરે છે. 
 
16 સંસ્કારમાંથી અંતિમ સંસ્કાર છે મૃત્યુ 
હિંદુ ધર્મમાં 16 સંસ્કારની વાત કહેવામાં આવી છે તેમાં ગર્ભ સંસ્કારથી લઈને મૃત્યુ પછી કરાવતા અંતિમ સંસ્કાર (16મો સંસ્કાર) સુધી શામેલ છે. ગરૂણ પુરાણમાં અંતિમ સંસ્કાર અને મૃત્યુ પછી આત્માનો સફરના વિશે જણાવ્યુ છે. તેથી ઘરમાં કોઈની મૃત્યુ પછી ગરૂણ પુરાણ વંચાય છે. 
 
તેથી મૃત્યુ પછી ઘરમાં નથી સળગાબતા ચૂલો 
ગરૂણ પુરાણમાં કહ્યુ છે કે પરિવારમાં જ્યારે કોઈની મૃત્યુ થઈ જાય તો તેનો અંતિમ સંસ્કાર થતા સુધી ઘરમાં ચૂલો નહી સળગાવવુ જોઈએ. અંતિમ સંસ્કાર પછી આખુ પરિવાર સ્નાન કરવુ ત્યારબાદ જ ભોજન રાંધવુ જોઈએ. ઘણા ઘરોમાં તો 3 દિવસ પછી ઘરની સફાઈ થતા સુધી ઘરમાં ભોજન ન રાંધવાની પરંપરા છે. તે પછી ધાર્મિક અને વૈજ્ઞાનિક બન્ને જ કારણ જવાબદાર છે. ગરૂણ પુરાણના મુજબ જ્યારે સુધી વ્યક્તિનો અંતિમ સંસ્કાર નહી હોય છે ત્યારે સુધી તેમના પરિવાર અને સંસારના મોહમા રહે છે તેથી મૃતકના પ્રત્યે સમ્માન જોવાવા માટે ઘરમાં ભોજન નહી રાંધવુ જોઈએ અને ન જ ખાવુ જોઈએ. 
 
સંક્રમણથી પણ હોય છે બચાવ 
વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો મૃતકના શરીરમાં ઘણા બેકટીરિયા વગેરે પેદા થઈ જાય છે. એવા ઘરમા લાશ રાખી હોય તો તે દરમિયાન ઘરના લોકો દ્વારા ભોજન રાંધવાથી સંક્રમણ ફેલવાની શકયતા વધારે રહે છે. તેથી અંતિમ સંસ્કાર પછી સ્નાન કરીને સાફ કપડા પહેર્યા પછી જ ભોજન રાંધવુ અને ખાવુ જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Amaranath Katha - જાણો અમરનાથ યાત્રાનું શુ રહસ્ય છે ?(Amarnath yatra)