Publish Date: Tue, 25 Dec 2018 (06:39 IST)
Updated Date: Mon, 24 Dec 2018 (18:21 IST)
ધર્મ ગ્રંથોમાં સોનાને સર્વશ્રેષ્ઠ ધાતું સ્વીકાર્યું છે. આ કારણે દેવી -દેવતાની મૂર્તિઓ , ઘરેણાં, સિંહાસન વગેરે સોનાથી બનાવાય છે કે સોનાનું આવરન ચઢાવાય છે.
તેમજ ચાંદીને પણ પવિત્ર ધાતું ગણાયું છે. સોના -ચાંદી વગેરે ધાતુઓ માત્ર જળ અભિષેકથી જ શુદ્ધ થઈ જાય છે.
આયુર્વેદ મુજબ સોનું બળ અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં સહાયક હોય છે. તેથી મંદિરોમાં તાંબા, પીતળ અને કાંસાના વાસણ પણ ઉપયોગ કરાય છે પણ એલ્યુમીનિયમ, લોખંડ અને સ્ટીલના પાત્ર પૂજા-અર્ચનામાં પૂર્ણયતા વર્જિત છે.