Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના વલણ અંગે શું કહ્યું?

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના વલણ અંગે શું કહ્યું?
, શુક્રવાર, 3 જૂન 2022 (09:09 IST)
યુક્રેન પર રશિયાના હુમલાને લઈને પણ ભાગવતે ભારતના વલણનાં વખાણ કર્યાં.
 
તેમણે કહ્યું, "રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. વિરોધ પણ થઈ રહ્યો છે પરંતુ કોઈ પણ યુક્રેનમાં જઈને રશિયાને રોકવા તૌયાર નથી. રશિયા પાસે તાકાત છે, તેઓ ધમકી આપે છે કે અહીં આવશો તો પરમાણુ બૉમ્બ ચલાવી દઈશું. ડરવું પડે છે."
 
"જે લોકો આ મુદ્દે કંઇક કરવા માગે છે એ લોકો પણ યુક્રેનને હથિયારો આપી રહ્યા છે. "
 
"આ તો એવી વાત થઈ કે એક જમાનામાં પશ્ચિમી દેશો પાકિસ્તાન અને ભારતને લડાવીને બન્ને તરફથી પોતાના શસ્ત્રોનું પરિક્ષણ કરતા હતા. "
 
"ભારત એકમાત્ર દેશ છે જે સત્ય બોલી રહ્યો છે પણ તેના માટે પણ સંતુલન સાધીને ચાલવું પડે તેમ છે અને સૌભાગ્યથી ભારતની ભૂમિકા સંતુલિત રહી છે."
 
"ભારત જો પર્યાપ્ત શક્તિશાળી હોત તો તે ખુદ આ યુદ્ધને રોકતું, પણ તેમ થઈ શકે તેમ નથી. આપણે પ્રયાસો વધારવા પડશે. શક્તિસંપન્ન થવું પડશે. જો આપણે પણ શક્તિશાળી થઈ જઈશું તો આવી ઘટના બનશે નહીં."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RSS ચીફ મોહન ભાગવતે કહ્યું- દરેક મસ્જિદમાં શિવલિંગ શા માટે જોવું