Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુક્રેનમાં ફસાયેલા વડોદરાના છાત્રો માટે ખાસ હેલ્પ લાઈન નંબર જાહેર

યુક્રેનમાં ફસાયેલા વડોદરાના છાત્રો માટે ખાસ હેલ્પ લાઈન નંબર જાહેર
, શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (09:31 IST)
પ્રવર્તમાન પરિસ્થિતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા છાત્રો માટે વિશેષ હેલ્પ લાઈન જાહેર કરવામાં આવી હોવાનું કલેકટર અતુલ ગોરે જણાવ્યું છે. બિન નિવાસી ગુજરાત પ્રભાગ દ્વારા પણ આ માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે.  
 
તેમણે કહ્યું કે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના નંબર્સ +911123012113,+911123014104, +911123017905, 1800118797 છે. સાથે જ [email protected] પર ઇ-મેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર [email protected] મેઈલ કરી શકાશે. 
 
ગુજરાત રાજ્ય બિન - નિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારી ખૂબ જ વધશે, કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા મજબૂર થશે કંપનીઓ