Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લુણાવાડા પાસે બસમાં આગ લાગતાં મુસાફરોએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યો

accident
, શનિવાર, 21 મે 2022 (09:02 IST)
દાહોદ ડેપોમાંથી દાહોદથી રાધનપુર જતી ગુર્જર નગરીએસટી બસમાં 50 કરતા વધુ મુસાફરો લઇને ઉપડી હતી. બસ લુણાવાડા કોટેજ ચોકડી પાસેથી પસાર થતી હતી. તે દરમ્યાન ચાલુ બસમાં અચાનક કોઇક કારણસરએન્જીનના ભાગમાં આગ ભભુકતાં ધુમાડાના ગોળા વળતાં બસમાં બેસેલા મુસાફરોએ બુમાબુમ કરી મુકી હતી.ગુર્જર નગરી બસના આગળની તરફ દરવાજો હોવાથી આગળના ભાગામાં આગ લાગતાં જીવ બચાવવા મુસાફરો બારીમાંથી કુદીને જીવ બચાવ્યો હતો.

ખિચોખીચ ભરેલી બસનાએન્જીનમાં લાગેલી આગનેઓલવવા જતાં બસના કંડકટરનો હાથ દાઝયો હતો. બસમાં આગ લાગતાં આસપાસના રહીશો દોડી આવીને મુસાફરોનો સામાન બચાવ્યો હતો.બસના આગળના ભાગે લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. બસમાં આગ લાગતાં મુસાફરો બારીમાંથી કુદી પડતા જાનહાની ટળી હતી. આગ લાગેલી બસ દાહોદ ડેપોની હતી. બસનાએન્જીન પરઓઇલ ઢોળેલું હોવાથી ગરમીના કારણે અચાનક આગ લાગી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે