Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

COVID-19 Third Wave In India: ભારતમાં નહી આવે કોરોનાની જીવલેણ ત્રીજી લહેર, તેનો ભય બેબુનિયાદ - વિશેષજ્ઞ

COVID-19 Third Wave In India: ભારતમાં નહી આવે કોરોનાની જીવલેણ ત્રીજી લહેર, તેનો ભય બેબુનિયાદ - વિશેષજ્ઞ
નવી દિલ્હી. , મંગળવાર, 22 જૂન 2021 (20:23 IST)
દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(AIIMS)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા  (Randeep Guleria) એ તાજેતરમાં જ દેશમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) ની ત્રીજી લહેર (Corona Third Wave)ને લઈને ચેતાવની આપી છે. તેમનું કહેવું છે કે જો કોવિડ-ગાઈડલાઈનનુ યોગ્ય પાલન ન કરવામાં આવે અને ભીડ બંધ રોકવામાં નહી આવે તો આગામી છથી આઠ અઠવાડિયામાં દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવી શકે છે. જો કે, આ દાવાની વિરુદ્ધ, કેટલાક ટોચના વાઈરોલોજિસ્ટ્સ અથવા વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે  દેશમાં કોરોના વાયરસના સંક્રમણની  ત્રીજી લહેરનો ડર પાયાવિહોણો છે. તેમના મતે ટૂંક સમયમાં કોરોના સંક્રમણમાં થયેલા વધારાને લઈને દેશમાં ક્યાંય કોઈ વૈજ્ઞાનિક આધાર ઉપલબ્ધ નથી. 
 
વાઇરોલોજિસ્ટ ડો. ટી જેકબ જોનનુ કહેવુ છે કે જ્યાં સુધી દેશમાં કોરોના વાયરસના સંક્રમણનું નવું સ્વરૂપ સામે ન આવે ત્યાં સુધી ત્રીજી લહેર શક્ય નથી. તેઓ કહે છે કે વર્તમાન કોરોના વાયરસના સંક્રમણમાં નવી વૃદ્ધિ નથી કરી શકતો. તેમનું એમ પણ કહેવું છે કે જુલાઇના અંત સુધીમાં આ રોગચાળો સતત ઘટવા લાગશે. અસરકારક રણનીતિની મદદથી આપણે કોવિડ 19 પર કાબુ મેળવી શકીએ છીએ.  સાથે જ અમેરિકામાં રહેતા ડોક્ટર રવિ ગોડસે પણ કોરોનાની ત્રીજી લહેર  સાથે સંકળાયેલા મુદ્દાઓ વિશે વાત કરી છે. જાણો ડો.  રવિ ગોડસે શું કહે છે .
 
મારું માનવું છે કે ભારતમાં સંક્રમણ લાગવામાં કોઈ બચ્યુ નથી. પરંતુ તે જેમાં બન્યું તે પણ બરાબર થયું. લોકોને સારા દરે રસી મળી છે. કેસ આવી શકે છે પરંતુ લહેર નહી આવે, 1 જુલાઈના રોજ સમાપ્ત થઈ જશે. ભયથી પ્રતિરક્ષાને અસર કરે છે. 2 ઓક્ટોબર સુધીમાં, સમગ્ર ભારતભરમાં માસ્ક ઉતરશે. આપણા લોકો ખૂબ વ્હાલા છે તે બદલાશે નહીં. 
 
પ્રશ્ન - બાળકોને લઈને માતા-પિતા ખૂબ ડરેલા છે. 
જવાબ - આ એકદમ ખોટી વાત છે, બાળકોમાં યુવાઓમાં જે કેસ દેખાય રહ્યા છે, તે નિશાની છે કે વેક્સીનેશન ચાલી  રહ્યુ છે. આ એકદમ ખોટી વાત છે બાળકોમાં કે યુવાઓમાં જે કેસ દેખાય રહ્યા છે, તે નિશાની છે કે વેક્સીનેશન ચાલી રહ્યો છે, બાળકોની પ્રતિરોધાત્મક ક્ષમતા વધુ સારી છે. હજારમાંથી 10 બાળકોમાં જે કેસ દેખાય રહ્યા છે, તે નિશાની છે કે વેક્સીનેશન ચાલી રહ્યુ છે. આ એકદમ ખોટી વાત છે. બાળકોમાં આ યુવાઓમાં જે કેસ દેખાય રહ્યા છે, તે નિશાને છે કે વેક્સીનેશન ચાલી રહ્યો છે, બાળકોની પ્રતિરોધાત્મક ક્ષમતા વધુ સારુ છે. હજારમાં 10 બાળકોમાં જ આ દેખાય રહ્યા છે. 
 
પ્રશ્ન  - ડેલ્ટા વૈરિએંટ શુ છે ? 
 
જવાબ - અલ્ફા મતલબ બ્રિટિશ વૈરિએંટ, આ આરએનએ વાયરસ છે જે રૂપ બદલે છે. ડો. રર્વિએ કહ્યુ કે હુ ડેલ્ટાને ઈંડિયન મ્યૂટેંટ તો કહીશ જ નહી. હુ તેઓ ચાયનીઝ વાયરસ જ કહીશ. સ્ટડીઝ લૈબમાંન કરવી જોઈએ. દુનિયાના 51 દેશ સાઈનોવૈક યુઝ કરી રહ્યા છે , જે ચીન આપી રહ્યુ છે. રીયલ લાઈફમાં સમાજમાં વેક્સીનેશન સ્ટડીઝ થવી જોઈએ. 
 
પ્રશ્ન - ટીકાની અસરકારકતા પર પણ સવાલ છે, સવાલ અસરની ક્ષમતાને લઈને છે 
 
લોકો થોડા ડરી ગયા છે. માની લો કે જેણે પણ 4 અઠવાડિયાના અંતરે રસી લીધી છે અને તેની અસરકારકતા 55 ટકા છે, એટલે કે તમને કોવિડ થવાની સંભાવના 45 ટકા છે. પરંતુ તે તમને ગંભીર દર્દી બનતા બચાવે છે. સાંભળવા મળે છે કે વેક્સીન લીધા પછી પણ, કોવિડ થાય છે પરંતુ એવું પણ વિચારી શકાય છે કે કોવિડના બે ડોઝ લઈને હું બચી ગયો હતો અને હોસ્પિટલમાં એડમિટ ન થવુ પડ્યુ.  જો ડોઝની ગેપ વધારવામાં આવી છે તો તે ચોક્કસપણે દરેકના હિતમાં છે.
 
પ્રશ્ન  - કોવિશિલ્ડ કે કોવેક્સીન 
 
જવાબ - કોવેક્સિનને મંજુરી મળ્યાના ત્રીજા ફેજનો ડેટા જ નહોતો આવ્યો. બધુ અચાનક જ થઈ ગયુ. લોક ગભરાય ગયા. મને પણ નવાઈ લાગી હતી. જેવી રીતે ફિલ્મોમાં રજનીકાંત અચાનક જ ચશ્મા કાઢી લે છે. કોવૈક્સિનના ડેટા રિલીઝની સાથે પણ કંઈક આવુ જ થયુ. 
 
પ્રશ્ન  - કોવાક્સિન અને કોવિશિલ્ડને લઈને લોકોમાં મૂંઝવણ છે.
વિશ્વમાં હમણાં જ મિક્સ અને મેચ સ્ટડી આવી રહી છે. જુદી જુદી વેક્સીનમાં જુદા જુદા ગુણ હોય છે.  આવુ  કરવાથી બે  જુદી રીતે ઈમ્યુનિટી મજબૂત થાય છે. યુરોપમાં કોવિશિલ્ડનો ઉપયોગ નથી. ભારતના હવામાન અને બ્રિટનના હવામાન વચ્ચેનો તફાવત છે. હું દાવો કરું છું કે ત્રણથી ચાર મહિના પછી તે જાણવામાં આવશે કે બંને જુદા જુદા ડોઝ લેવાનો ફાયદો દેખાય રહ્યો છે., પરંતુ સ્પુતનિક સાથે કોવાક્સિનનું મિશ્રણ સાયંસના દૃષ્ટિકોણથી યોગ્ય નહીં હોય. ભારતમાં રસી આપવા માટે વધુ સારું કામ કરશે 
 
પ્રશ્ન  - બંને રસી લીધા પછી કેટલા દિવસો સુધી તેની અસર રહેશે? 
જવાબ - કદાચ એક કે બે વર્ષ માટે. તે પછી ફરીથી બૂસ્ટર લેવાનું રહેશે. પહેલા વર્તમાનને જુઓ અને પછી ભવિષ્ય નક્કી કરો.
 
ફંગસને લઈને લોકો પરેશાન થયા મતલબ પોસ્ટ કોવિડે પરેશાન કર્યા ?
તેનુ મુખ્ય કારણ સ્ટેરોઇડ્સનો ઉપયોગ છે. જો સરકારે નિયંત્રણ કરવુ હોય તો આજે કરવું પડશે.  ડોક્ટર વગર તેનો ઉપયોગ કરવો ખોટું છે. 7 સુધી કોઈ સ્ટેરોઇડ્સ નહી અને 10 દિવસથી વધુ નહીં.  દુનિયામાં ફંગસના કેસ ફક્ત ભારતમાં જ છે.
 
પ્રશ્ન  - ત્રીજી લહેર વિશે છેલ્લી વત 
 
જવાબ - કેસ આવશે પણ લહેર નહી આવે. હિંમત રાખો. વેક્સીનેશન ચાલુ રહે છે. બાળકોને કંઇ થશે નહીં. મને તે વિશે ખૂબ વિશ્વાસ છે. આની પાછળ સોલિડ સાયંસ છે. લોકડાઉન સાથે ઘણી સંતાકુકડી રમી લીધી, હવે તેને શોધીને ખતમ કરીશુ. મારી સંવેદના એ પરિવાર સાથે છે જેમણે સગા કોવિડને કારણે આ દુનિયામાં નથી. ભારતની ઈમ્યુનિટી આખી દુનિયા કરતા સારી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહેબૂબાનો ફરી એક જ રાગ, બોલી - જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન સાથે થાય વાત