Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહેબૂબાનો ફરી એક જ રાગ, બોલી - જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન સાથે થાય વાત

મહેબૂબાનો ફરી એક જ રાગ, બોલી - જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન સાથે થાય વાત
, મંગળવાર, 22 જૂન 2021 (18:11 IST)
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ફરી એકવાર પાકિસ્તાન સાથે વાત કરવાનો ગુસ્સો ઉભો કર્યો છે. ગુપ્કાર ગઠબંધનના નેતાઓની બેઠક બાદ તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઈએ. જો રાજ્યમાં શાંતિ લાવવી હોય તો તે માટે પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઈએ. સંવાદ શાંતિ ફરીથી સ્થાપિત કરવાનો એકમાત્ર રસ્તો છે
 
આ પહેલીવાર નથી જ્યારે મહેબૂબાએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો રાગ આલાપ્યો હોય, તેણે ઘણી વાર પાકિસ્તાન સાથે વાત કરવાની ભલામણ કરી છે.  પીડીપી પ્રમુખનુ આ નિવેદન એવા સમયે આવ્યુ છે જયારે કેન્દ્ર સરકાર રાજ્યના નેતાઓ સાથે વાત કરવા જઇ રહી છે. આવી સ્થિતિમાં મહેબૂબાના નિવેદનથી નવો વિવાદ ઉભો થઈ શકે છે. કારણ કે સરકાર રાજ્યના મુદ્દા પર પાકિસ્તાનની કોઈ દખલગીરી ઇચ્છતી નથી. બીજી તરફ, મહેબૂબા મુફ્તીના નિવેદન પર નિષ્ણાતો કહે છે કે બેઠક પૂર્વે તેમણે આ રાજકીય હાઇપ છોડી દીધો છે જેની સરકાર પર કોઈ અસર નહી પડે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં સરકારી સ્કૂલમાં એડમિશન લેવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓની ભલામણ લેવી પડીઃ 400 વિદ્યાર્થીઓનું વેઈટિંગ