Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં વરસાદી પાણી ઓસરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો, વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી

વડોદરામાં વરસાદી પાણી ઓસરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો, વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી
, શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (11:37 IST)
વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી પૂરની પરિસ્થિતનું નિર્માણ થયું હતું. જોકે મોડી રાત બાદ વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થવાની શરૂઆત થઇ હતી. આજે સવારે 9 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 33 ફૂટ નોંધાઇ હતી. વડોદરા શહેરમાં પાણી ઉતરવા લાગ્યા છે. 
જોકે નીચાણવાળા અને કાંઠાના વિસ્તારમાં પાણી હજુ સુધી ઉતર્યાં નથી અને લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. વડોદરા શહેરના સ્ટેશન વિસ્તાર છેલ્લા બે દિવસથી પાણી પાણી થઇ ગયો હતો. જોકે આજે સ્ટેશન વિસ્તારમાં પાણી ઉતરવાનું શરૂ થઇ ગયું છે. 
આ ઉપરાંત રાવપુરા, કાલાઘોડા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે. આજે સાંજ સુધીમાં પૂરની સ્થિતિ દૂર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જોકે વરસાદની આગાહીને પગલે વડોદરાવાસીઓમાં ચિંતા જરૂર જોવા મળી રહી છે. 
વડોદરા રેલવે સ્ટેશન અને બસ ડેપોમાં ફસાયેલા લોકોને આજે પણ આર્મીની ટીમ દ્વારા બહાર કાઢવાની કામગીરી યથાવત રાખવામાં આવી હતી. સ્ટેશન વિસ્તારમાંથી લોકોને કાલાઘોડા સુધી આર્મીની ટીમ મૂકી ગઇ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉન્નાવ બળાત્કાર પીડિતાનાં માતાએ કહ્યું, 'અમને પણ મારી નાખે તો શું થયું?'