Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં 108 મંદિરોમાં લાઉડ સ્પીકર ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરાશે

વડોદરામાં 108 મંદિરોમાં લાઉડ સ્પીકર ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરાશે
, શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:08 IST)
દેશના ધર્મસ્થાનોમાં લાઉડ સ્પીકર અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે વડોદરામાં 108 મંદિરોમાં ખાસ લાઉડ સ્પીકર ગોઠવીને દિવસમાં બે વખત હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. વડોદરાની મીશન રામસેતુ સંસ્થાએ આ આયોજન કર્યુ છે અને તેને ગઇકાલે વડોદરાના મંદિરોમાં ફ્રી લાઉડ સ્પીકર વિતરણ કર્યુ હતું અને તે સમયે વડોદરા ભાજપના પ્રમુખ ડો.વિજય શાહ સહિતના પદાધિકારીઓ પણ હાજર હતાં. આ નવી પ્રવૃતિ અંગે તેઓએ કહ્યું કે લોકો દિવસમાં બે વખત હનુમાન ચાલીસા ઉપરાંત આરતી અને અન્ય ધાર્મિક પ્રવચનો તથા પ્રાર્થનાઓનું શ્રવણ કરી શકે તે માટે અમોએ આ નિર્ણય લીધો છે અને 78 મંદિરોએ તેમાં સહમતિ આપી દીધી છે અમારો ઇરાદો 108 મંદિરો સુધી આ વ્યવસ્થા ગોઠવવાનો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં આપના નેતાએ મહિલા કાર્યકર્તાને ધમકી આપતાં આપઘાતનો પ્રયાસ, 4 હજારની ઉઘરાણી માટે રાજકીય કરિયર પતાવવાનું કહ્યું