Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુર્જર આંદોલનથી બંને રાજધાની ટ્રેનો ડાયવર્ટ, આજે સુરત બે કલાક લેટ પહોંચશે

ગુર્જર આંદોલનથી બંને રાજધાની ટ્રેનો ડાયવર્ટ, આજે સુરત બે કલાક લેટ પહોંચશે
, સોમવાર, 2 નવેમ્બર 2020 (11:23 IST)
અનામતની માંગને લઇને રાજસ્થાનમાં હાલ ગુર્જર સમાજ આંદોલન કરી રહ્યો છે. તેની અસર રેલવે યાતાયાત પર પડી રહી છે. આંદોલનના લીધે મુંબઇ-દિલ્હી મેન લાઇન પ્રભાવિત થઇ છે. ઉત્તર રેલવે ઝોનમાં આવનાર ટ્રેનો રાજસ્થાનમાં પ્રભાવિત થઇ રહી છે. 
 
તેનાથી પશ્વિમ રેલવેની ટ્રેનો પણ પ્રભાવિત થઇ રહી છે. 1 નવેમ્બરના રોજ 02952 નવી દિલ્હી-મુંબઇ સેંટ્રલ રાજધાની એક્સપ્રેસને આ આંદોલના લીધે અચાનક ડાયવર્ટ કરવી પડી. આ ટ્રેન દિલ્હીથી મુંબઇ તરફ આવી રહી છે. 
 
તેને વાયા મથુરા, આગરા, ઝાંસી, બીના, નાગદા રૂટ પર ડાયવર્ટ કરી દેવામાં આવી. આ રૂટ પર ઓગસ્ટ ક્રાંતિ રાજધાની અને પશ્વિમ એક્સપ્રેસને પણ ડાયવર્ટ કરવામાં આવી. આ ડાયવર્જનથી આ ટ્રેનોને લગભગ 400 કિમી વધારાનું અંતર કાપવું પડે છે. તેનાથી આ ટ્રેનો 2 નવેમ્બરના રોજ સુરત અને મુંબઇ પોતાના નિર્ધારિત સમયના બદલે બે ત્રણ કલાક મોડી પહોંચશે. ગુર્જર આંદોલન લાંબો સમય ખેંચાતા આગામી દિવસોમાં પણ દિલ્હીથી મુંબઇ આવનાર ટ્રેનોને મોડી પહોંચવાની આશંકા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તેજસનો થયો મોહભંગ, 30 માર્ચ સુધી 17 ટ્રીપ કેન્સલ