Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભીલડી અને ચંડીસરની વચ્ચે ડબલિંગના કારણે અમદાવાદ મંડળની ઘણી ટ્રેનો રદ કરીને ડાયવર્ટ કરાશે

ભીલડી અને ચંડીસરની વચ્ચે ડબલિંગના કારણે અમદાવાદ મંડળની ઘણી ટ્રેનો રદ કરીને ડાયવર્ટ કરાશે
, રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (09:59 IST)
પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળના  સામાખ્યાલી અને પાલનપુર સ્ટેશન પર ભીલડી- લોરવાડા -ડીસા-ચંડીસર સ્ટેશનોની વચ્ચે ડબલિંગ (commissioningofdoublines) થવાને કારણે, અમદાવાદ મંડળની ઘણી ટ્રેનો સંપૂર્ણપણે રદ, શોર્ટ ટર્મિનેટ અને ડાયવર્ટ ટર્મિનેટ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :-
 
પૂર્ણરૂપથી રદ્દ થયેલી ટ્રેનો:
1. તારીખ 27 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 02483 જોધપુર-ગાંધીધામ સ્પેશ્યિલ
2. તારીખ 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 02484 ગાંધીધામ -જોધપુર સ્પેશ્યિલ
3. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04804 સાબરમતી- ભગતની કોઠી સ્પેશ્યિલ
4. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04803 ભગત ની કોઠી-સાબરમતી સ્પેશ્યિલ  
5. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04819 ભગતની કોઠી-સાબરમતી સ્પેશ્યિલ
6. તારીખ 28અને 29 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04820 સાબરમતી-ભગતની કોઠી સ્પેશ્યિલ 
7. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04893 જોધપુર-પાલનપુર  સ્પેશ્યિલ 
8. તારીખ 28 અને 29 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04894 પાલનપુર-જોધપુર  સ્પેશ્યિલ 
9. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04841/04842 જોધપુર-ભીલડી-જોધપુર  સ્પેશ્યિલ
 
શોર્ટ ટર્મિનેટ ટ્રેનો:
1. તારીખ 24 થી 26 સપ્ટેમ્બર 2021 સુધી ટ્રેન સંખ્યા 04893 જોધપુર-પાલનપુર સ્પેશ્યિલ ભીલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ રહેશે તેમ જ ભીલડી અને પાલનપુર ની વચ્ચે રદ્દ થશે. 
2. તારીખ 25 થી 27  સપ્ટેમ્બર 2021 સુધી ટ્રેન સંખ્યા 04894 પાલનપુર-જોધપુર સ્પેશ્યિલ ભીલડી સ્ટેશનથી ચાલશે (ઓરિજનેટ થશે ) તથા પાલનપુર અને ભીલડીની વચ્ચે રદ્દ રહેશે.
 
ડાયવર્ટ ટ્રેનો:
1. તારીખ 27 સપ્ટેમ્બર 2021 એ ટ્રેન સંખ્યા 04820 સાબરમતી-ભગતની કોઠી સ્પેશ્યિલ વાયા મહેસાણા -પાલનપુર-આબુરોડ-મારવાડ જંકશન થઈને ચલાવવામાં આવશે.
2. તારીખ 26  અને 27 સપ્ટેમ્બર 2021 એ  ટ્રેન સંખ્યા 04321 બરેલી-ભુજ સ્પેશ્યલ વાયા પાલનપુર- મહેસાણા -વિરમગામ-ધ્રાંગધ્રા - સામાખ્યાલી થઈને ચાલશે.
3. તારીખ 25  થી 27 સપ્ટેમ્બર 2021 સુધી ટ્રેન સંખ્યા 04322 ભુજ-બરેલી સ્પેશ્યિલ વાયા સામાખ્યાલી -ધ્રાંગધ્રા -વિરમગામ- મહેસાણા -પાલનપુર થઈને ચાલશે
4. તારીખ 24 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04321 બરેલી-ભુજ સ્પેશ્યિલ ડીસા સ્ટેશન પર રોકાશે નહીં .

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UNGA માં અફગાનિસ્તાન પર બોલ્યા પીએમ મોદી, પાકિસ્તાન અને ચીનને આપી ફટકાર