Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

300 રૂપિયા માટે ચાર પેઢીથી ચાલી રહ્યો છે ઝઘડો, ગુજરાતના આ આદિવાસી પરિવારની અનોખી કહાની

adivasi
, મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (11:20 IST)
ગુજરાતના બે આદિવાસી પરિવારો ચાર પેઢીઓથી માત્ર 300 રૂપિયા માટે લડી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના આદિવાસી પરિવારો વચ્ચેની આ લડાઈનો અંત ક્યારે આવશે? તેના અણસાર પણ દૂરથી દેખાતા નથી. બે ડુંગરી ભીલ (પહાડી નિવાસી) પરિવારોએ છ દાયકા પહેલા તેમના વડવાઓ પર લાદવામાં આવેલા મૂળ રૂ. 300ના દંડના 80 ગણા કરતાં વધુ ચૂકવ્યા છે. 
 
ખેરોજના ટેંબા ગામમાં દંડ અને મારામારીનો વિચિત્ર દૌર ચાલુ રહેવા પાછળ પણ એક મોટું કારણ છે. આ આદિવાસી લોકો તેમના વિવાદમાં પોલીસ અથવા કાયદેસર રીતે સંપર્ક કરતા નથી. આ લોકો પોતાના વિવાદોને પંચો સુધી લઈ જવાની વર્ષો જૂની પ્રથાને અનુસરી રહ્યા છે. જે તેમના સમુદાય સાથે સંકળાયેલા વડીલોની અનૌપચારિક સ્વ-સંચાલિત સંસ્થા છે.
 
હિસાબી ખાતા પર ચાલી રહેલી દુશ્મનીનું સાચું કારણ જોઇએ તો તેના વિશે ખૂબ ઓછી જાણકારી છે. હરખા રાઠોડની 1960ના દાયકામાં સાથી આદિવાસી જેઠા રાઠોડ સાથે લડાઈ થઈ હતી. તે સમયે તત્કાલિન સમુદાય (પંચ) કોર્ટે ચુકાદો આપ્યો હતો કે હરખાએ પ્રથમ જન્મેલાના પરિવારને 300 રૂપિયા ચૂકવવા પડશે. જેઠાના પરિવારના સભ્યો હરખાના સંબંધીઓ પર હુમલો કરી રહ્યા છે. 
 
પંચ તેને દંડ ફટકારી રહી અને તેઓ એકબીજાના દેવામાં ડૂબતા રહ્યા. એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે સમયસર બાકી રકમ ન ચૂકવવા બદલ દંડ તરીકે ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલવામાં આવશે. ગત દિવાળી, પંચેજાહેર કર્યું કે હરખાના પરિવાર પર બાકી દંડ તરીકે રૂ. 25,000નું દેવું બાકી છે. જેઠાના બે પુત્રોએ બાકી રકમ લઇને જાન્યુઆરીમાં હરખાના પૌત્ર વિનોદ અને તેની પત્ની પત્ની ચંપા અને તેના પુત્ર કાંટી હુમલો કરી દીધો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આસારામ રેપકેસમાં દોષી જાહેર, આજે થશે સજાનું એલાન