Publish Date: Thu, 02 Jul 2020 (15:23 IST)
Updated Date: Thu, 02 Jul 2020 (15:26 IST)
રાજ્ય સરકારની સરકારી શાળાના શિક્ષકો દ્વારા 4200 પે ગ્રેડની માગણી સાથેનું આંદોલન સોશિયલ મીડિયા પર ચાલુ કર્યું છે.4200 પે ગ્રેડ નામનું ફેસબુક પેજ બનાવી આ સરકરી કર્મચારીઓ દ્વારા દિવસની 5 હજાર થી પણ વધુ પોસ્ટ કરવામાં આવે છે.એટલે કે આ સોશિયલ મીડિયા આંદોલનને વ્યાપક સમર્થન મળ્યું છે.તો સાથે જ હવે જન અધિકાર મંચના આંદોલનકારી નેતા પ્રવીણ રામ પણ આ સરકારી કર્મચારીઓના આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. એક ન્યૂઝ ચેનલને પ્રવીણ રામે આ મામલે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં વર્ષે 2010 પછી ભરતી કરેલા સરકારી શિક્ષકોને પે ગ્રેડ એ 2800 રૂપિયાનો આપે છે. જ્યારે વર્ષે 2010 પહેલાની ભરતી કરેલા શિક્ષકોને પે ગ્રેડ 4200 રૂપિયાનો મળે છે . તેમણે વધુમાં જણાવ્યું કે, સમાન કામ સમાન વેતનના સ્થાને રાજ્ય સરકારે વિસંગતા ઉભી કરી જેના કારણે શિક્ષકો હાલ સોશિયલ મીડિયા પર આંદોલન કરી રહ્યા છે. જો સરકાર શિક્ષકોની વાત સ્વીકારશે નહિ તો રોડ-રસ્તા પરના આંદોલન માટે તૈયાર રહે.