Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગઢડા ગામમાં માછીમાર યુવકનો સિંહે શિકાર કર્યો

lion
ભાવનગરના ગઢડા ગામમાં સિંહે માછીમાર પર હુમલો કર્યો છે. જેમાં માછીમારનું મોત થયું છે. હુમલા કર્યા બાદ સિંહ યુવકને ખાઇ ગયો હતો. આ ઘટના પિંગલેશ્વર મહાદેવ મંદિર પાસેની છે. જ્યાં માછીમારી કરતા રામભાઈ પર સિંહે હુમલો કર્યો અને ત્યાર બાદ સિંહ રામભાઈ નામના માછીમારને ઉપાડી ગયો. ત્યારે આ બનાવની જાણ થતાં વનવિભાગની ટીમે સિંહને શોધવાની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ભોગ બનનાર આ માછીમારને ગત રાત્રે ટ્રેકરે આ વિસ્તારમાં ફરવાની ના પાડી હતી. વન વિભાગ તરફથી હવે આ સિંહને પકડી લેવામાં આવશે. બાદમાં તેમને જૂનાગઢના સક્કરબાગ કે અન્ય જગ્યાએ રાખવામાં આવશે. નિયમ પ્રમાણે હવે આ સિંહને ક્યારેક મુક્ત કરવામાં નહીં આવે. જો કોઈ સિંહ માણસ પર હુમલો કરે અને તેનું મોત થાય તો તેને પકડીને આજીવન કેદની સજા આપવામાં આવે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બીજલ જોશી સામુહિક દુષ્કર્મ મામલો : આરોપીઓને મુક્ત કરવા સુપ્રિમનો આદેશ