Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગઢડા ગામમાં માછીમાર યુવકનો સિંહે શિકાર કર્યો

ગઢડા ગામમાં માછીમાર યુવકનો સિંહે શિકાર કર્યો
, ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (14:18 IST)
ભાવનગરના ગઢડા ગામમાં સિંહે માછીમાર પર હુમલો કર્યો છે. જેમાં માછીમારનું મોત થયું છે. હુમલા કર્યા બાદ સિંહ યુવકને ખાઇ ગયો હતો. આ ઘટના પિંગલેશ્વર મહાદેવ મંદિર પાસેની છે. જ્યાં માછીમારી કરતા રામભાઈ પર સિંહે હુમલો કર્યો અને ત્યાર બાદ સિંહ રામભાઈ નામના માછીમારને ઉપાડી ગયો. ત્યારે આ બનાવની જાણ થતાં વનવિભાગની ટીમે સિંહને શોધવાની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ભોગ બનનાર આ માછીમારને ગત રાત્રે ટ્રેકરે આ વિસ્તારમાં ફરવાની ના પાડી હતી. વન વિભાગ તરફથી હવે આ સિંહને પકડી લેવામાં આવશે. બાદમાં તેમને જૂનાગઢના સક્કરબાગ કે અન્ય જગ્યાએ રાખવામાં આવશે. નિયમ પ્રમાણે હવે આ સિંહને ક્યારેક મુક્ત કરવામાં નહીં આવે. જો કોઈ સિંહ માણસ પર હુમલો કરે અને તેનું મોત થાય તો તેને પકડીને આજીવન કેદની સજા આપવામાં આવે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બીજલ જોશી સામુહિક દુષ્કર્મ મામલો : આરોપીઓને મુક્ત કરવા સુપ્રિમનો આદેશ