Publish Date: Sun, 27 Jun 2021 (17:20 IST)
Updated Date: Sun, 27 Jun 2021 (17:20 IST)
રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની અવધિમાં લંબાવવામાં આવ્યો, લગ્નમાં આટલા લોકોને મંજૂરી આપી
રાત્રિ કર્ફ્યુ નિયંત્રણ બાબત પરિપત્ર
રાજ્યના 36 શહેરોમાં 26મી જૂનના સવાર 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અને કેટલાક નિયંત્રણો અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ. રાજ્યના 18 શહેરોમાં રાત્રિના 10 વાગ્યેથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ.
તમામ દુકાનો વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શૉપિંગ કામ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હાટ હેર કટીંગ બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના 9 વાગ્યેથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરેંટસ રાત્રિના 9 વાગ્યા સુધી બેસવાની ક્ષમતા મહત્તમ 60 ટકા ક્ષમતા સથે કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવાબી શરતે નિયત S.O.P ને આધિન ચાલૂ રાખી શકાશે.
લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોને મહત્તમ 100 (સો) વ્યક્તિઓની મંજૂરી રહેશે.