Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિવરફ્રન્ટ પર બજરંગદળના કાર્યકરોએ પ્રેમીપંખીડાઓને દોડાવ્યાં

રિવરફ્રન્ટ પર બજરંગદળના કાર્યકરોએ પ્રેમીપંખીડાઓને દોડાવ્યાં
, બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (16:02 IST)
આજે વેલેન્ટાઈન ડે હોવાથી પ્રેમી પંખીડાનો મેળમિલાપ અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે તે ઉપરાંત શહેરના ગાર્ડન અને લેક પર પણ પ્રેમવિલાસ જોવા મળ્યો છે. ત્યારે પ્રેમના પ્રસંગ એવા આ વેલેન્ટાઈન ડેનો વિરોધ બજરંગદળ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર VHPના કાર્યકર્તાઓ દ્વારા વેલેન્ટાઇ ડેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે VHPના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવતાં પ્રેમી પંખીડાઓને દોડાવ્યા હતા.
webdunia

ઉપરાંત રિવરફ્રન્ટ પર બેસેલા લોકો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઉગ્ર બોલચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ઘટનાની જાણ થતાં પોલીસ રિવરફ્રન્ટ પહોંચી ગઇ હતી અને વિરોધ કરી રહેલાં 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.  રિવરફ્રન્ટ ખાતે આવી કોઇ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા કોંગ્રેસના 50 આગેવાનોને ખુલાસો કરવા કોંગ્રેસ પક્ષનો આદેશ