Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સદગત પ્રણવ મુખરજીના માનમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

સદગત પ્રણવ મુખરજીના માનમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે
, મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (16:17 IST)
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સ્વ. પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાનના શોકમાં, સદગતના માનમાં ભારત સરકારે તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર કર્યો છે.
 
ભારત સરકારની આ શોક જાહેર કરવાની સૂચનાને પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે પણ ગુજરાતમાં આ શોક પાળવા અંગેના આદેશો જારી કર્યા છે.
 
તદઅનુસાર, રાજ્યમાં જે સરકારી ભવનો-ઇમારતો પર નિયમીતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે આ રાષ્ટ્રવ્યાપી શોકના સમયગાળા તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સુધી અડધી કાઠીએ ફરકાવવાના રહેશે. એટલું જ નહિ, આ દિવસો દરમ્યાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો પણ યોજી શકાશે નહીં

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના કયા મોટા ઉદ્યોગપતિ સામે શિક્ષિકાએ નોંધાવી છેડતીની ફરિયાદ?