Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે

નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે
, ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (08:42 IST)
આ સમયગાળા દરમ્યાન નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે
 
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી અને ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ બંને જળાશયોના પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ની કલમ ૨૮ તથા ૩૩થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે.

આ બંને દિવસ દરમ્યાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનીક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા જાહેર જનતાને અપિલ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકિયાને પરિવારે હેલિકોપ્ટરની સરપ્રાઈઝ ગિફ્ટ આપી, સામાજિક સેવા માટે હાલમાં પદ્મશ્રી મળ્યો હતો