Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાંથી 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ જશે

ગુજરાતમાંથી 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ જશે
, ગુરુવાર, 19 મે 2022 (09:11 IST)
પવિત્ર અમરનાથ યાત્રાનો ૩૦ જૂનથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. બે વર્ષ બાદ અમરનાથ યાત્રા યોજાઇ રહી હોવાથી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ છે. માત્ર ગુજરાતમાંથી ૫૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ આ વખતે અમરનાથમાં બાબા બર્ફાનાની દર્શન માટે ઉમટશે. અમરનાથ યાત્રા આ વખતે ૩૦ જૂનથી ૧૧ ઓગસ્ટ સુધી યોજાશે. કોરોનાને કારણે બે વર્ષથી અમરનાથ યાત્રા યોજાઇ શકી નહોતી.

આ વખતે અમરનાથ યાત્રાની જાહેરાત કરવામાં આવતાં જ ઓનલાઇન, પોસ્ટલ માધ્યમથી શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અમરનાથ યાત્રાએ જનારા માટે ફિટનેસ સર્ટિફિટે લેવું ફરજીયાત છે. ગુજરાતમાંથી ૯૬ સરકારી હોસ્પિટલ-મેડિકલ કોલેજને તેના માટે માન્યતા આપવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓના કાંડે રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (આરએપઆઇડી)થી સજ્જ કરાશે, જેથી તેમનું લોકેશન મળતું રહે. આ ઉપરાંત દરેક શ્રદ્ધાળુને રૃપિયા પાંચ લાખના વીમા કવચથી સુરક્ષિત કરવામાં આવશે.ટૂર ઓપરેટર મનિષ શર્માએ જણાવ્યું કે, ' આ વખતે ચાર ધામ યાત્રા બાદ અમરનાથ યાત્રા માટે પણ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. અમરનાથ યાત્રાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ ઈન્ક્વાયરીનો પ્રારંભ થઇ ગયો છે.  અમારે ત્યાંથી જ અત્યારસુધીમાં ૪૫૦થી વધુ બૂકિંગ થઇ ચૂક્યા છે. વિવિધ જથ્થાઓ તેમજ ટૂર ઓપરેટર્સ દ્વારા ગુજરાતમાંથી જ ૫૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ પહોંચે તેવો અંદાજ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LPG Price Hike: LPG સિલિન્ડરની કિંમત ફરી વધી, જુઓ આજે કેટલા મોંઘા થયા