suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 314 સિંહોના મોત: વિધાનસભામાં સરકારે રજૂ કર્યા આંકડા

 Lion Death
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં રાજ્ય સરકારે સિંહોના મૃત્યુ અંગેના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, રાજ્યમાં છેલ્લા 25 મહિનામાં કુલ 314 સિંહોના મોત નિપજ્યા છે. આ આંકડા સામે આવ્યા બાદ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
 
સરકારે રજૂ કરેલી વિગતો અનુસાર, 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ રાજ્યમાં સિંહોની કુલ સંખ્યા 911 નોંધાઈ છે. આ કુલ વસ્તીમાં 255 નર સિંહ, 405 સિંહણ અને 231 સિંહબાળનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષ અને એક મહિનાના ગાળામાં જે 314 સિંહોના મોત થયા છે, તેમાં 75 સિંહ, 91 સિંહણ અને સૌથી વધુ 148 સિંહબાળોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
 
મોતના કારણો અંગે વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, કુલ 314 મૃત્યુમાંથી 251 સિંહોના મોત કુદરતી કારણોસર થયા છે, જેમાં 58 સિંહ, 67 સિંહણ અને 126 સિંહબાળનો સમાવેશ થાય છે. જ્યારે 63 સિંહોના મોત અકુદરતી કારણોસર થયા હોવાનું સામે આવ્યું છે. અકુદરતી રીતે મૃત્યુ પામેલા વનરાજોમાં 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળનો સમાવેશ થાય છે, જે વન વિભાગ માટે તપાસનો વિષય છે.
 
વન વિભાગના જણાવ્યા અનુસાર, સિંહોના સંરક્ષણ અને તેમના આરોગ્ય પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સિંહોના વસવાટના વિસ્તારોમાં સુરક્ષા વધારવા અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે સરકાર દ્વારા વિવિધ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. દરેક મૃત્યુના કારણોની વિગતવાર તપાસ કરવામાં આવે છે જેથી અકુદરતી મોતના પ્રમાણને ઘટાડી શકાય અને એશિયાટિક સિંહોનું જતન યોગ્ય રીતે થઈ શકે.
 
રશ્મિકા મંદાનાએ પણ કેટલીક તસવીરો શેર કરી, જેમાંથી કેટલીક તેના 'પતિ' દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરોથી અલગ છે. તેણીએ લખ્યું, "હેલો મારા પ્રિય મિત્રો, 'મારા પતિ' ને મળો! શ્રી વિજય દેવેરાકોંડા. તે માણસ જેણે મને સાચા પ્રેમનો અર્થ શીખવ્યો, તે માણસ જેણે મને શાંતિનો અનુભવ કરાવ્યો. તે માણસ જેણે મને દરરોજ કહ્યું કે મોટા સ્વપ્ન જોવામાં કોઈ વાંધો નથી અને હંમેશા મને યાદ અપાવ્યું કે હું મારી કલ્પના કરતાં વધુ પ્રાપ્ત કરી શકું છું. તે માણસ જેણે મને ક્યારેય પરવા કર્યા વિના નાચતા અટકાવ્યો નહીં, તે માણસ જેણે મને બતાવ્યું કે મિત્રો સાથે મુસાફરી કરવી કેટલી મહાન છે. હું આ માણસ પર શાબ્દિક રીતે એક પુસ્તક લખી શકું છું."' 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાતના અંધારામાં કાકી અને ભત્રીજા વચ્ચે કંઈક એવું બન્યું કે બધું જ બદલાઈ ગયું...