rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CM ભૂપેન્દ્ર પટેલની નર્મદા જિલ્લાને મોટી ભેટ: આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે બે નવા બ્રિજને આપી મંજૂરી

gujarati news
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. જિલ્લાના 11 જેટલા ગામોના 18 હજારથી વધુ રહેવાસીઓને જિલ્લા અને તાલુકા મુખ્ય મથક સાથે જોડવા માટે બે નવા પૂલોના નિર્માણને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે કુલ રૂ. 302.40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે આ વિસ્તારની કનેક્ટિવિટીમાં મોટું પરિવર્તન લાવશે.
 
બજેટની ફાળવણી મુજબ, રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ બનાવવા માટે રૂ.123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે રૂ.179.27 કરોડ ખર્ચવામાં આવશે. આ બે પૂલોના નિર્માણથી નર્મદા જિલ્લાના ઉત્તર અને દક્ષિણ વિસ્તારો વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટશે. ખાસ કરીને તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ જેવા ગામોના લોકોને અવર-જવર માટે સીધો અને સરળ માર્ગ ઉપલબ્ધ થશે.

 
આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો સ્થાનિક વિદ્યાર્થીઓને થશે, જેમને અત્યાર સુધી ચોમાસા દરમિયાન શાળા-કોલેજ પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નવા પૂલ બનવાથી હવે વિદ્યાર્થીઓને વર્ષભર સુરક્ષિત માર્ગ મળશે. આ ઉપરાંત, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસમાં યોજાતી ઉત્તરવાહિની પરિક્રમામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આ પૂલ આશીર્વાદરૂપ સાબિત થશે, જેના કારણે અંદાજે 17 કિલોમીટર જેટલો ફેરાવો ઘટશે.
 
અંતે, આ પ્રોજેક્ટ માત્ર પરિવહનની સુવિધા જ નહીં, પરંતુ આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, વેપાર-વ્યવસાય અને ધાર્મિક પ્રવાસનને પણ નવું બળ પૂરું પાડશે. યાત્રિકો અને સ્થાનિકોના સમય અને ઈંધણની બચત થવાની સાથે સમગ્ર નર્મદા જિલ્લાના આધુનિકીકરણની દિશામાં આ એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ICC T20 WC 2026: ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ મુશ્કેલીમાં પાકિસ્તાન, સેમિફાઇનલમાં પહોંચવાનો આ છે સિનેરિયો